SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા સંયમ-કોણી-ફૂલડે જી પૂજું પદ નિષ્પાવ રે.' "" “ (આત્માની અભેદ-ચિંતના-રૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડ પરિણિતનો ત્યાગ)ને પામેલા, એવા જે સિદ્ધાર્થના પુત્ર, તેનાં નિર્મળ ચરણ-કમળને સંયમ-શ્રેણી-રૂપ ફૂલથી પૂજું છું. . લિ. યથાર્થ બાધસ્વરૂપના યથાર્થ. ” (સદર) ૨૧૮ - છતાં, એક વસ્તુ શ્રીમદ્ના જીવનના આ કાળે નોંધવી જોઈએ; – જે એમની દશા વિષેના ઉપર ઉતારેલા કેટલાક ઉદ્ગારોની અંદર પણ, – તેમની ગૂઢ ચિત્ત-ભૂમિકામાં, ઊંડે ઊંડે રહેલી વરતાય છે.તે એમના અમુક પ્રકારના, – કાંઈક ગૂઢ લક્ષ પામવાની ઊંડી આકાંક્ષાની અતૃપ્તિને કારણે કદાચ સંભવે એવે, – સૂક્ષ્મ વિષાદ જેવા ભાવ છે, એમ લાગે છે; અને તે એમની એ વૃત્તિમાંથી હશે કે, તે દૃઢપણે માનતા હતા કે, (‘ સંયમ-શ્રોણી-ફૂલડે ’) સંયમ-વિકાસ-શ્રેણીમાં વધતાં વધતાં નિગ્રંČથ સંન્યાસના ચોથા આશ્રમ ગ્રહણ કરવા જોઈએ. હવે પછીના શેષ જીવનની એમની સાધનામાં આવી ઝંખના, સતત સૂક્ષ્મ તાર જેવી રહેલી, તેમનાં લખાણોમાં દેખાય છે. ગીતાકાર કહે છે કે, પરમ વૈકસિદ્ધિને સંન્યાસ વડે સાધક પામે છે; ” તે અંગે શ્રીમદ્ ગીતાના સૂક્ષ્મ સંન્યાસભાવ નહિ, પરંતુ સ્થૂલ સંન્યાસાશ્રમની નિવૃત્તિ સુધીના આવિર્ભાવ સમજે છે; અને પેાતાને તે નથી – તે કયારે આવે, એવી ઝીણી કે આછીપાતળી વિષાદ-છાયામાં તેમની વીતરાગતા કે વૈષ્કર્મ-ભાવના પ્રવર્તતી જણાય છે. "6 કવિશ્રીનાં આ વરસામાં તેમના જીવનમાં અંગીકાર કરેલાં કામધંધા તેમ જ લગ્નજીવનની ગૃહસ્થી ચાલુ છે. એની જે કાંઈ બાહ્ય પણ. ઉપાધિ હોય, તે તેમને કઠે છે; જોકે તેના માહમાંથી તે તે મનથી બહાર નીકળેલા છે. પરંતુ તેમને આવી ઉપાધિના ટપ્પા આવ્યા કરે, તે ગમતા નથી; અખંડ સમાધિવત્ સતત સત્સંગ અને પરમ સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy