SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા જ આ પત્ર પછી કવિ ત્રિપાઠીને મળ્યા હશે. તેમના પર લખેલો મળે છે તે છેલ્લો પત્ર (વવાણિયા, પ્ર. ભાદ્ર, સુદ ૩, ૧૯૪૬). આ નોંધીને (શ્રી.૧- ૨૪૭) જણાવે છે: ' ' આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત થયો. મુંબઈ મૂકયાં એક પખવાડિયું થયું. મુંબઈને એક વર્ષના નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપનો સમાગમ, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. જ્ઞાનીઓએ કપેલે ખરેખરો આ કળિકાળ જ છે.... એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિ કાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. ....... જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આમા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતાં સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ: ૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. છે. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા (આહારવિહારની નિયમિતતા). “અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું; અને સર્વ અજ્ઞાનને નાશ. , “અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેને માર્ગ કહ્યો છે, સાધન બતાવ્યાં છે, ગાદિકથી થયેલ પિતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy