SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમત-સમાગમ ૧૫ - “સર્વ પુરુષો માત્ર એક જ વાટે તર્યા છે અને તે વાટ, વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યન્ત સકિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની. જૂનાધિકતા ક્ષમાપાત્ર છે. વિ૦ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ.” (શ્રી. ૧- ૨૨૬-૭) અહીં એ વચ્ચે યાદ કરાવવા જેવી બીના છે કે, આત્મ-નિવેદન. રૂપે લખેલી “સમુચ્ચયવયચર્યા” આ સમયના જ આત્મમંથનને ભાગ ગણાય; તેને સમય આ વર્ષની કારતક સુદ ૧૫, ૧૯૪૬ (કવિશ્રીની જયંતી-મિતિ) છે. આ પછીને પત્રવ્યવહાર મળે છે તેમાં, મુંબઈથી “અષાઢ વદ. ૦) ૧૯૪૬”, અને વવાણિયાથી “પ્ર. ભાદ્ર. સુદ ૩, સોમ, ૧૯૪૬” – એ બે પત્રો છે. મુંબઈથી લખેલા પત્ર પરથી જણાય છે કે, શ્રી.. ત્રિપાઠીએ કવિને “યોગવાસિષ્ઠ’ જોવા મોકલ્યું હશે; તે પરત કરતાં. પત્રમાં લખ્યું છે –“ઉપાધિને તાપ શમાવવાને એ શીતળ ચંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. .... આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંત:કરણમાં વાસ કરી. રહેલું બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તે એક શાંતિ છે. ........ અને તે પત્રમાં અંતે કહે છે :- “જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આમાં ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કઈ અધિક કહેતાં નહીં જીભ એમ વિજ્ઞાપન છે.” (શ્રી ૧-૨૪૫) .. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy