SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) જડ ને ચેતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, * સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ફેય પણ પરદ્રવ્યમાંય છે, એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે. દેહ વ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચિતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy