SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ક્ષત્રપકાલીન ગુજરાત ૩૨). ૧૦. હાલ આ ટેકરો નથી; કેમ કે અહીં શ્યામ સરોવર અને બંધના નિર્માણ થઈ ચૂક્યાં છે. આ કારણે જ ઉત્પનનકાર્યમાંથી પ્રાપ્ત પુરાવસ્તુકીય અવશેષો અને સ્તૂપ અને વિહારના વિશિષ્ટ અવશેષો સત્વરે ખસેડી વડોદરાની મ.સ.યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગના સંગ્રહાલયમાં સુરક્ષિત રખાયા છે. ૧૧. આમ તો દેવની મોરીના ઉત્પનનકાર્યનો પ્રારંભ વિભાગીય વડા ડૉ. બી. સુબ્બારાવના વડપણ હેઠળ થયો હતો, ૧૯૫૯-૬૦ના શિયાળુ સત્રમાં. પણ એમના આકસ્મિક અવસાનને કારણે ખોદકાર્યની જવાબદારી ૨.ના.મહેતાના હસ્તક આવી. સૂર્યકાંત ચૌધરી આ ખોદકામની પ્રત્યક્ષ જવાબદારીમાં હતા, જેમણે આ ખોદકામમાંથી પ્રાપ્ત શિલ્પો અને પ્રતિમાઓ વિશે શોધકાર્ય આધારિત મહાનિબંધ લખીને વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી છે. ૧૨. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, પૃષ્ઠ ૯૪. ૧૩. એકવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૭૭. ૧૪. આ અંગે વધુ વિગતો વાસ્તે જુઓ એસ્કવેશન એટ દેવની મોરી ગ્રંથ. ૧૫. આ સૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્રગક ઉપરના ઐતિહાસિક લખાણની ચોથી કડીના ઉત્તરાર્ધમાં #ાષ્પત્તિ ૨ પાન્તિવા પી એવો પાઠ અગાઉ સૂચવાયો હતો (મહેતા અને ચૌધરી, જોઈ, પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૫). પરંતુ પછીથી વાસુદેવ વિષણુ મિરાશીએ ને સ્થાને પડ્ડી એવું વાચન પ્રસ્તુત કર્યું અને કર્મીતિક અને પાશાંતિક નામનાં બે નગરો નથી એવું સૂચવી પ્રતિપાદિત કર્યું કે પાશાંતિક અને પ નામના બે સ્થપતિ હતા (વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રિસર્ચ જર્નલ, પુસ્તક ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧થી ૧૦૪). આ લેખકને પણ સ્વનિરીક્ષણથી મિરાશીનું વાચન યોગ્ય જણાયું છે. ૧૬. જુઓ એસ્કવેશન એટ દેવની મોરી, પટ્ટ , આકૃતિ . ૧૭. પ્રત્યેક ખૂણાના અર્ધસ્તંભ બે બાજૂના ટેકારૂપ હોઈ ચાર દિશાના ૪૦ (પ્રત્યેક બાજુના દશ અર્ધસ્તંભની ગણતરીએ) અને ચાર ખૂણાના ચાર મળી કુલ ૪૪ અર્ધસ્તંભ અને ૪૪ ગવાક્ષ હતા. ૧૮. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, પૃષ્ઠ ૯૫. ૧૯. અહીંથી ૨૦ જેટલાં મસ્તક પ્રાપ્ત થયાં છે. પ્રત્યેક દીવાલમાં એકાંતરે બુદ્ધની મૂર્તિ હોઈ દરેક બાજુ ઉપર પાંચ પ્રતિમા અને કુલ ૨૦ મૂર્તિઓ હોવી જોઈએ. ૨૦. અલંકરણો, મૂર્તિઓ, ઠીંકરણાં, સિક્કા, શૈલસમુદ્ગક વગેરેની વિશેષ વિગત વાસ્તુ અને ફોટાઓ સારુ જુઓ એકવેશન એટ દેવની મોરી ગ્રંથ. ૨૧. જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ અને દેવની મોરીનાં ઉત્નનનનો અહેવાલ. ૨૨. જુઓ પરિશિષ્ટ ત્રણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy