SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અગિયાર રાજા મહાક્ષત્રપ ચાષ્ટ્રન પછી તેનો પૌત્ર રુદ્રદામા ગાદીસ્થ થાય છે. રુદ્રદામાને બે પુત્રો છે : દામજદશ્રી મોટો છે અને રુદ્રસિંહ નાનો. દામજદશ્રી રુદ્રદામાનો ઉત્તરાધિકાર મેળવે છે અને તેનો રાજ્યાધિકા૨ તે પછી લઘુબંધુ રુદ્રસિંહને પ્રાપ્ત થાય છે. રુદ્રસિંહ પછી તેના મોટાભાઈના બે પુત્રો સત્યદામા અને જીવદામા અનુક્રમે રાજગાદી ભોગવે છે. જીવદામાનો ઉત્તરાધિકાર તે પછી તેના નાનાકાકા, રુદ્રસિંહના ત્રણ પુત્રો- રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન-પાસે ક્રમશઃ જાય છે. દામસેન પછી એ રાજવારસો તેના વરિષ્ઠ અગ્રજ઼ રુદ્રસેન ૧લાના બે પુત્રો-પૃથિવીષેણ અને દામજદશ્રી ૨જા-ને મળેલો જોવો પ્રાપ્ત થાય છે. રુદ્રસેનનો અનુજ (અને દામસેનનો અગ્રજ) સંઘદામા અપુત્ર હોઈ તેના બીજા અનુજ દામસેનના ચાર પુત્રો -વીરદામા, યશોદામા, વિજયસેન અને દામજદશ્રી-પાસે ઉત્તરાધિકાર ક્રમશઃ ગયેલો જણાય છે. એટલે કે આ ચારેયમાં અગ્રજઅનુજના ક્રમાનુસાર રાજ્યાધિકાર હસ્તગત થયેલો જોઈ શકાય છે૧. પ્રસ્તુત વિશ્લેષણથી અનુમાની શકાય કે આ રાજવંશમાં રાજગાદીના ઉત્તરાધિકાર માટે આ પ્રકારની કોઈ પરંપરા પ્રચલિત હોવાનું સૂચવાય છે : રાજગાદીનો વારસો સામાન્યતઃ વિગત રાજાના અનુજને મળતો. અનુજોનો ક્રમ ક્રમશઃ પૂરો થયા પછી એ વારસો વળી જ્યેષ્ઠ અગ્રજ પુત્રને પ્રાપ્ત થતો, જે અનુજક્રમ મુજબ હસ્તાંતરિત થતો પણ ક્યારેક અનુજના અભાવે તે વારસો સીધો જ જ્યેષ્ઠ પુત્રને પ્રાપ્ત થતોર. અપવાદરૂપે ક્યારેક રાજાને અધિકારી અનુજ હોવા છતાંય તેનો ઉત્તરાધિકાર પુત્રને મળેલો જોઈ શકાય છે, તો ક્યારેક રાજા ક્ષત્રપ પોતાની ઇચ્છાનુસાર કે પ્રજાની ઇચ્છાનુસાર એ વારસો મેળવતો જોવા મળે છે૪. ક્ષત્રપો મહાક્ષત્રપો સાથે છેક પહેલેથી રાજ્ય કરતા જોવા મળતા નથી; પરંતુ મોટે ભાગે મહાક્ષત્રપનાં છેલ્લાં વર્ષો દરમયાન ક્ષત્રપનો અધિકાર ધરાવતા જણાય છે એમ પરમેશ્વરીલાલ ગુપ્તનું માનવું છેપ. ક્રમ રાજા મહાક્ષત્રપ અમલની ઉપલી અને નીચલી મર્યાદા →>> ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. જીવદામા નહપાન ચાન રુદ્રદામા રુદ્રસિંહ ૧લો ૯. ૧૦. રુદ્રસેન ૧લો Jain Education International ૪૬ પર ૭૨ ૧૦૧થી ૧૧૯ ૧૧૯થી ૧૨૦ ૧૨૪થી ૧૪૨ અમલની ઉપલી અને નીચલી મર્યાદા ? ૪૧થી ૪૫ ૬ પર ૧૨૧ For Personal & Private Use Only રાજા ક્ષત્રપ ← ભૂમક નહપાન ૧૯૩ ચાન રુદ્રદામા રુદ્રસેન ૧લો www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy