SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ક્ષત્રપકાલીન ગુજરાત શરીરે સુદૃઢ હોવો જોઈએ. અર્થાત્ તે વ્યક્તિ સરખી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળો હોવો જોઈએ. એની ચાલ સ્વસ્થ એટલે કે ધીર-ગંભીર હોય. એનો કંઠ મધુર અને કર્ણપ્રિય હોય. શરીરનું રૂપ આકર્ષક હોય એટલે કે દેહસૌષ્ઠવ સ્વરૂપવાન હોય. તે વીર હોય, શક્તિશાળી હોય. રાજયલક્ષ્મીને ધારણ કરવાની તેનામાં પાત્રતા હોય. સમાજના બધા વર્ણના-વર્ગના લોકોએ તેને પોતાના રક્ષણ માટે પતિ (રાજા) તરીકે ચૂંટેલો હોય. તેને સાહિત્યનો શોખ હોય તેમ જ સાહિત્યના વિવિધ પ્રકારથી જ્ઞાત હોય. શબ્દ (વ્યાકરણ), અર્થ, ગાંધર્વ (સંગીત), ન્યાય (તર્કશાસ્ત્ર), ઇત્યાદિ મહાવિદ્યાઓનાં પારણ, ધારણ, વિજ્ઞાન અને પ્રયોગમાં શ્રદ્ધાન્વિત હોય. ઘોડેસ્વારી, ગજસ્વારી અને રથસ્વારીનું સારું જ્ઞાન હોય. યુદ્ધમાં ઢાલતલવારનો ઉપયોગ કરી જાણતો હોય. તે ધર્માનુરાગી હોય. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ પ્રશસ્તિ પ્રકારનો હોઈ ગુણાનુવાદન નિમિત્તે એમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો. રુદ્રદામામાં આ બધા ગુણો હશે જ એમ પણ ન જ કહેવાય૧૯. છતાં એવું અનુમાની શકાય કે તે સમયે આદર્શ રાજવીમાં પ્રસ્તુત ગુણોની અપેક્ષા સહજભાવે રહેતી હશે. રાજધર્મ ગિરિનગરના રુદ્રદામાના શૈલલેખથી આ મુદ્દા પરત્વે ઘણી ઉપયોગી અને ઉપાદેયી માહિતી મળે છે : પ્રજાનું પરિપાલન રાજાનો મુખ્ય ધર્મ કે મુખ્ય નિસબત ગણાતાં હશે. અન્ન અને પાણીની વ્યવસ્થા રાજ્ય હસ્તક હશે. ખેતી વિકાસની જવાબદારી પણ રાજયની હશે તેની પ્રતીતિ તો, સુદર્શન તળાવના તૂટી ગયેલા બંધને પ્રજા ઉપર વિશેષ કરી નાંખ્યા વિના રાજયની તિજોરીનાં નાણાંથી સમરાવ્યો તેથી, થાય છે. આથી, એવું ફલિત થાય છે કે પ્રજોપયોગીલોકકલ્યાણી-કાર્યો માટે રાજા સદાય જાગૃત રહેતો હશે. આપત્તિના સમયે પ્રજાને કરવેરામાં રાહત પ્રાપ્ત થતી હશે. આખરે રાજ્ય તો પ્રજા ઉપર અને પ્રજા માટે કરવાનું છે. તેથી પ્રજા જેટલી સુખી તેટલો સુખી રાજા, કંઈક આ પ્રકારનો રાજધર્મ આ રાજાઓ અપનાવતા હોવાનું જણાય છે. રાજયની આંતરિક સલામતી અને શાંતિની વ્યવસ્થા વાસ્તે તથા સુચારુ વહીવટ કાજે રાજા જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરતો હશે એની માહિતી શૈલલેખમાં નિર્દિષ્ટ સચિવો અને અમાત્ય ઉપરથી મળે છે. રાજયના રક્ષણ માટે તથા રાજ્યસત્તાના વિસ્તાર સારુ તે સંગ્રામ ખેલતો હશે. પ્રજા ઉપર કરવેરા નાંખતો હશે, અને કરગ્રહણમાં નમ્રતા દાખવતો હશે. કયારેક પ્રજા પાસે વેઠ કરાવતો હશે કે તેમની પાસેથી ભેટસોગાદ સ્વીકારતો હશે. ધાન્ય ઉત્પાદન ઉપર ભાગ અને બલિ તથા માલ ઉપર શુલ્ક (જકાત) નાંખી આવકનાં સાધનો સંપ્રાપ્ત થતાં હશે. શરણે આવેલાને શરણ આપવામાં પરાયણ રહેતો હશે. રાજપદ ક્ષત્રપોની સળંગ વંશાવલી, એમનો કાલાનુક્રમ અને સિક્કાઓમાં નિર્દિષ્ટ વર્ષનો સૂક્ષ્મ અભ્યાસ કરવાથી રાનપદ્રની માહિતી આપણને આ મુજબ હાથવગી થાય છે : સામોતિકના પુત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy