SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૮-૧૯ ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થાય તે પ્રકારે વિવેકપૂર્વક ભગવાનની પૂજા કરે છે. તેથી જિનપૂજામાં થતી હિંસા સ્વરૂપથી હિંસા હોવા છતાં ભગવાનની પૂજાથી થયેલ, શુભભાવો દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થશે ત્યારે તે પૂજાના ફળરૂપે ઘણી હિંસાનું નિવર્તન થશે. તેથી જે જિનપૂજાનો અનુબંધ=જે જિનપૂજાનું ફળ, મહાઅહિંસા હોય તે હિંસા પરમાર્થથી હિંસા નથી. તેથી શ્રાવકના જિનપૂજારૂપ આર્યકર્મથી પૂજામાં થતી હિંસા પોતાની પૂંઠ આપીને નાચે છે. આ રીતે અન્ય સર્વ આર્યકર્મોમાં પણ વિવેક હોવાથી તેમાં થતી હિંસા અનુબંધથી અર્થાત્ ફળથી અહિંસાનું કારણ બને છે, માટે તેમાં થતી હિંસા પરમાર્થથી હિંસા નથી. આથી જ જ્ઞાતાધર્મસૂત્રકથામાં રાજાને પ્રતિબોધ કરવા અર્થે સુબુદ્ધિમંત્રીએ દુર્ગધવાળા પાણીને પ્રક્રિયાથી શુદ્ધ કર્યું તે વખતે દુર્ગધી પાણીમાં ઘણા જીવો હતા તે સર્વની વિરાધના થઈ તોપણ તે પ્રવૃત્તિને “પ્રતિમાશતક'માં ગ્રંથકારશ્રીએ અનુબંધથી ફળથી, અહિંસા રૂપે બતાવેલ છે. II૪/૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર કરવાથી વિવેકી શ્રાવકના આર્મકાર્યમાં હિંસા થતી નથી. તેથી હવે હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર શું છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : હિંસાહેતુ અયતના ભાવે, જીવ વધે તે સ્વરૂપ; આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબન્ધવિરૂપ. સુખ. ૧૯ ગાથાર્થ : હિંસાનો હેતુ અયતનાભાવ છે. જીવનો વધ તે સ્વરૂપહિંસા છે, મિથ્યામતિના ભાવમાં આજ્ઞાનો ભંગ તે અનુબંધવિરૂપ છે અનુબંધથી અર્થાત્ ફળથી હિંસારૂપ વિપરીત સ્વરૂપ છે. ll૪/૧૯II ભાવાર્થ : ધર્મની કોઈ પ્રવૃત્તિમાં અયતનાનો પરિણામ હોય તો તે અયતનાનો પરિણામ હેતુથી હિંસા છે. જેમ સામાયિકની ક્રિયામાં અયતનાથી પ્રવૃત્તિ થતી હોય તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy