SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૪ | ગાથા: ૧૭-૧૮ છતાં કોઈ શ્રાવક પાસે “તું પૂજા કર, તું મહોત્સવ કર” ઇત્યાદિ વચનો દ્વારા પ્રવૃત્તિ કરાવતા નથી, કેમ કે સાધુજીવનની મર્યાદા અનુસાર તે પ્રકારની યતનાથી ઉપદેશ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે અને સાધુના તે પ્રકારના યતનાવાળા ઉપદેશથી કયાં આર્યકર્મો કર્તવ્ય છે અને ક્યાં આર્યકર્મો કરવાથી અસદારંભની નિવૃત્તિ થાય છે તેનો વિસ્તારથી બોધ પારિણામિકી બુદ્ધિવાળા શ્રાવક સ્વયં કરે છે. આથી જ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના ધર્મનું વર્ણન કરતા સતતાભ્યાસને પણ વ્યવહારથી ધર્મ તરીકે સ્વીકાર્યો છે અને માતા-પિતાની ઉચિત ભક્તિ કરવી તે સતતાભ્યાસ છે જે ગૃહસ્થ માટે ઉચિત આર્યકર્મ છે અને સાધુ શ્રાવકને યતનાપૂર્વક તેવું આર્યકર્મ સમજાવે છે. I૪/૧ળા અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે છે કે શ્રાવકનાં આર્યકાર્યોમાં હિંસા છે તેથી તે હિંસાની પ્રવૃત્તિથી અસદારંભની નિવૃત્તિ થાય છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – ગાથા : આર્ય કાર્ય શ્રાવકનાં જે છે, તેહમાં હિંસા દિ6; હેતુ સ્વરૂપ અનુબધુ વિચારે, નાશ દેઈ નિજ પીઠ. સુખ. ૧૮ ગાથાર્થ : શ્રાવકનાં જે આર્યકાર્યો છે તેમાં હિંસા દેખાય છે પરંતુ હેતુ-સ્વરૂપઅનુબંધના વિચારથી પોતાની પીઠ આપીને નાશે છે હિંસા નાશ પામે છે. II૪/૧૮II. ભાવાર્થ - શ્રાવકનાં જેટલાં પણ ઉચિત કાર્યો છે તેમાં હિંસા દેખાય છે. જેમ શ્રાવક માતા-પિતા આદિ સાથે ઉચિત વર્તન વગેરે કરે, સાધર્મિકની ભક્તિ કરે, જિનપૂજા કરે, જિનાલય નિર્માણ કરે તે સર્વકાર્યમાં હિંસા દેખાય છે. આમ છતાં, વિવેકી શ્રાવક હેતુ-સ્વરૂપ-અનુબંધનો વિચાર કરીને જે જે કાર્યોથી હિંસાના અનુબંધનો ત્યાગ થતો હોય તેવાં ઉચિત કાર્ય કરે છે. જેમ ભગવાનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy