SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧૯-૨૦ ત્યાં સાક્ષાત્ કોઈ જીવની હિંસા ન હોય તોપણ હિંસાનો હેતુ એવો અયતનાનો પરિણામ છે તેથી તે સામાયિકના કૃત્યમાં હેતુથી હિંસા છે. અથવા સંસારી જીવો સંસારની જે કોઈ પ્રવૃત્તિ કરે છે તેમાં જિનવચનાનુસાર યતના ન હોય તો હેતુથી હિંસા છે. સાક્ષાત્ જીવના વધમાં સ્વરૂપથી હિંસા છે. જેમ કોઈ શ્રાવક યતનાપૂર્વક ભગવાનની પૂજા કરે તે વખતે જલાદિના જીવોનો જે વધ થાય છે તે સ્વરૂપથી હિંસા છે. અથવા સંસારની કોઈ પ્રવૃત્તિમાં સાક્ષાત્ હિંસા થતી હોય તે સ્વરૂપથી હિંસા છે વળી, આજ્ઞાભંગમાં મિથ્યામતિનો ભાવ હોવાને કારણે અનુબંધથી હિંસા છે. જેમ, કોઈ સાધુ યતત્તાપૂર્વક સંયમની ક્રિયા કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિમાં હેતુથી હિંસા નથી, વળી તે પ્રવૃત્તિથી કોઈ જીવનો વધ ન થતો હોય તો સ્વરૂપથી હિંસા પણ નથી. આમ છતાં ભગવાનની આજ્ઞાનિરપેક્ષ સ્વમતિ પ્રમાણે તે સાધુ પ્રવૃત્તિ કરતા હોય તો તે ધર્મ-અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં આજ્ઞાભંગના કારણે મિથ્યામતિનો ભાવ છે. અથવા સંસારી જીવો ભગવાનની આજ્ઞાનિરપેક્ષ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિમાં સાક્ષાત્ હિંસા હોય કે ન પણ હોય તોપણ તે પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા છે. અર્થાત્ ફળથી હિંસા છે; કેમ કે તે મહાત્માને અથવા આજ્ઞાનિરપેક્ષ પ્રવૃત્તિ કરનાર સંસારી જીવોને દુર્ગતિના કડવા ફળરૂપ હિંસાના ફળની પ્રાપ્તિ થાય છે. ૮૭ વળી ભગવાનના વચનથી ભાવિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવને ભોગથી પણ અનુબંધહિંસાની પ્રાપ્તિ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ દૃષ્ટિવાદના ઉપદેશથી ભાવિત હોય છે, તેથી તેની આજ્ઞાનિરપેક્ષ ભોગની પણ પ્રવૃત્તિ નથી. ||૪/૧૯૫ અવતરણિકા : પૂર્વગાથામાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી હિંસાનું સ્વરૂપ બતાવ્યું, હવે, આ ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધહિંસા જ અનર્થકારી છે તે બતાવવા અર્થે કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy