SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા: ૧૭ થતી હોય તો સાધુએ પણ શ્રાવકોને અસદારંભની નિવૃત્તિ માટે તેવો ઉપદેશ આપવો જોઈએ. વળી, જો આર્યકર્મની પ્રવૃત્તિ સાવધરૂપ છે માટે સાધુ ઉપદેશ આપતા નથી તેમ સ્વીકારવામાં આવે તો ભગવાનની પૂજામાં પણ સાવધ પ્રવૃત્તિ હોવાથી સાધુ ઉપદેશ આપે નહિ તેમ સ્વીકારવું જોઈએ. વળી જો ભગવાનની પૂજાની પ્રવૃત્તિ સાવધ હોય તો ગૃહસ્થને કર્તવ્ય સ્વીકારી શકાય નહીં તે પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે – ગાથા : યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પારિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ, સુખ૦ ૧૭ ગાથાર્થ : યતનાથી જયણાપૂર્વક, આર્યકર્મનો=અધિક અનર્થને નિવારે તેવાં ગૃહસ્યકૃત્યોનો, મુનિને ઉપદેશ આપવાનું સૂત્રમાં શાસ્ત્રમાં, કહ્યું છે. પારિણામિકી બુદ્ધિવાળા શ્રાવકો તે આર્યકર્મની પ્રવૃત્તિનો વિસ્તારથી અશેષ સંપૂર્ણ, બોધ કરે છે. ll૪/૧૭ના ભાવાર્થ : સાધુ સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવનારા છે તેથી ગૃહસ્થને માટે ઉચિત એવા આર્યકર્મનો ઉપદેશ પણ સાક્ષાત્ પ્રવૃત્તિનું કારણ બને તે રીતે મુનિ આપે નહિ. આમ છતાં ગૃહસ્થો માટે તે પ્રવૃત્તિ કલ્યાણનું કારણ છે તેથી પોતે તે પ્રવૃત્તિમાં પ્રવર્તક ન બને અને ગૃહસ્થ સ્વયં પોતાનું ઔચિત્ય જાણી તે પ્રવૃત્તિ કરે તે પ્રકારની યાતનાથી મુનિ ગૃહસ્થને તેના કર્તવ્યનો યથાર્થ બોધ કરાવે છે. આથી જ વિવેકી ઉપદેશક એવા સાધુ સંસારમાં ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામ કઈ રીતે પરસ્પર અવિરુદ્ધ રીતે સેવવા જોઈએ ? તેનો શાસ્ત્રાનુસારે બોધ કરાવે છે. જેમ પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેનું ધર્મબિંદુ ગ્રંથરત્નમાં નિરૂપણ કરેલ છે. આમ છતાં કોઈક શ્રાવક તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ ન કરતો હોય તો “તું આવું કર” તે પ્રકારના પ્રવર્તક શબ્દોથી કરવાનું કહેતા નથી; તે આર્યકર્મના ઉપદેશમાં ઉચિત યતના છે. તે રીતે ભગવાનની પૂજા પણ શ્રાવકનું કર્તવ્ય છે તેમ સાધુ ઉપદેશ આપે છે; આમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy