SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૩ ૬૯ ગાથાર્થ - સાધર્મિવાત્સલ્ય, ભગવતીચંગમાં પ્રસિદ્ધ એવા પખીના પૌષધ અને ચરણ લિયે ચારિત્ર ગ્રહણ કરે, તેહના ઘરનો નિર્વાહ હરિએ કૃષ્ણ વાસુદેવે, કર્યો એ જ્ઞાતામાંહિ=જ્ઞાતાધર્મકથામાં, પ્રસિદ્ધ છે. તે કઈ રીતે સંગત થાય ? અર્થાત્ જિનપૂજામાં આરંભ સ્વીકારીએ તો સંગત થાય નહિ. ll/3ll ભાવાર્થ : સાધર્મિકવાત્સલ્યમાં પકાયનો આરંભ છે છતાં સાધર્મિક પ્રત્યેના બહુમાનપૂર્વક અને સાધર્મિક ભક્તિમાં અનુપયોગી એવી હિંસાના પરિવાર માટેની યતનાપૂર્વક જે સાધર્મિક ભક્તિ થાય છે તેમાં લેશ પણ કર્મબંધ નથી તેમ જિનપૂજામાં કર્મબંધ નથી. વળી ભગવતીસૂત્ર અંગમાં પમ્પીના પૌષધ કરવા વિષયક શંખશ્રાવકનું વક્તવ્ય આવે છે અને તે શ્રમણોપાસક કહે છે કે “અમે વિપુલ અસણ-પાણ વગેરેનું ભોજન કરીને પખીના દિવસે અવ્યાપારરૂપ પૌષધ કરીને પ્રતિ જાગરણ કરતાં વિચરીશું” તે કથનમાં પષધ કરવા અર્થે જે પૌષધના આગલા દિવસે વિપુલ અસણાદિ વાપર્યું છે તે પૌષધમાં અપ્રમાદની વૃદ્ધિના આશયથી કરાયું છે તેથી એ દોષરૂપ નથી. તેમ ભગવાન પ્રત્યે ભક્તિની વૃદ્ધિના આશયથી જે પુષ્પાદિનો આરંભ થાય છે તે દોષરૂપ નથી. વળી જ્ઞાતાધર્મકથાસૂત્રમાં થાવચ્ચાશેઠાણીના પુત્ર થાવચ્ચપુત્ર દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ દ્વારિકાનગરીમાં જાહેરાત કરાવેલ કે “જે કોઈ ચારિત્ર લેશે તેના ઘરનો નિર્વાહ કૃષ્ણ કરશે”, અને તે પ્રમાણે જેઓએ દીક્ષા ગ્રહણ કરી તેઓના ઘરનો નિર્વાહ કૃષ્ણએ કર્યો. તે ઘરના નિર્વાહમાં કૃષ્ણથી જે આરંભ-સમારંભ થયો તેમાં હિંસા નથી પરંતુ દીક્ષા ગ્રહણ કરનારના ચારિત્રના અનુમોદનનો પરિણામ છે. તેમ ભગવાનની પૂજામાં આરંભ-સમારંભ નથી પરંતુ ભગવાનની ભક્તિનો પરિણામ છે. માટે ભગવાનની પૂજામાં થતા આરંભમાં દોષ નથી એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૪/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy