SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨-૩ દાનની ક્રિયામાં પણ હિંસા માનવી પડે. વળી સાધુ વિહાર કરે છે તેમાં પણ વાયુકાયની હિંસા થાય છે તેથી તેમાં પણ હિંસા માનવી પડે. હવે, જો એમ કહેવામાં આવે કે યતનાપૂર્વક પ્રતિક્રમણમાં, મુનિને દાન આપવામાં કે વિહારમાં હિંસાનો દોષ નથી તો યતનાપૂર્વક ભગવાનની ભક્તિમાં પણ પકાયના આરંભનો દોષ નથી. અહીં વિશેષ એ છે કે કોઈ શ્રાવક કે સાધુ શક્ય ઉચિત યતના વગર પ્રતિક્રમણની ક્રિયા કરતા હોય અને પ્રતિક્રમણના ક્રિયાકાળમાં ચૈત્યવંદનાદિ ક્રિયાથી શુભભાવ થતો હોય તો ભક્તિનો પરિણામ છે પણ યતનાનો પરિણામ નથી. તેથી યતનાના અભાવને કારણે ત્યાં હિંસાની પ્રાપ્તિ છે અને ભક્તિના પરિણામને કારણે ત્યાં ધર્મની પ્રાપ્તિ છે. વળી જેઓને પ્રતિક્રમણની ક્રિયામાં યતના પણ નથી અને સૂત્રોના શ્રવણકાળમાં કોઈ શુભભાવ પણ થતો નથી તેઓને યતના અને ભક્તિ બન્નેનો અભાવ હોવાને કારણે પ્રતિક્રમણની ક્રિયાથી થતી હિંસાથી કેવલ કર્મબંધની પ્રાપ્તિ છે. પણ જેઓ સર્વ ઉચિત યતનાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયાઓ કરે છે ત્યાં જે દેહની ક્રિયાથી વાયુકાયની હિંસા થાય છે તે અશકયપરિહારરૂપ છે. તેથી યતનાકૃત અને ક્રિયાકૃત શુભભાવ હોવાને કારણે તે ક્રિયાથી હિંસાને અનુકૂળ લેશ પણ કર્મબંધ નથી. તેમ જે શ્રાવકો યતનાપૂર્વક ભગવાનની ભક્તિના પરિણામથી પૂજા કરે છે તે પૂજામાં લેશ પણ હિંસાકૃત કર્મબંધ નથી. I૪/ચા. અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે યતનાપૂર્વક અને ભક્તિપૂર્વક કરાતી જિનપૂજાની ક્રિયામાં પટકાયના આરંભકૃત કર્મબંધ નથી. તેની પુષ્ટિ કરવા અર્થે દાંત આપી કહે છે – ગાથા : સાહમીવચ્છલ પખિયપોસહ, ભગવાઈ અંગ પ્રસિદ્ધ; ઘર નિર્વાહ ચરણ લિએ તેહનાં, જ્ઞાતામાંહિ હરિ કીધ, સુખ૦ ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy