SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪/ ગાથા: ૪-૫ અવતરણિકા : વળી અન્ય રીતે પણ જિનપૂજાની ક્રિયામાં ષકાયના આરંભકૃત દોષ નથી એ બતાવવા અર્થે કહે છે – ગાથા : ફૂણિક રાય ઉદાયન કીધા, વંદનમહ સુવિવેક; હાયાકયલલિકમ્મા કહિયા, તુંગીયશ્રાદ્ધ અનેક. સુખ૦ ૪ ગાથાર્થ : કોણિકરાજા અને ઉદાયનરાજાએ સુવિવેકપૂર્વક વંદનમહોત્સવ કર્યા અર્થાત્ વીર ભગવાનના આગમન વખતે સામૈયું કર્યું, હાયાકયબલિકમ્મા-સ્નાનપૂર્વક કર્યું છે બલિકર્મ જેણે સ્નાનપૂર્વક કર્યું છે પૂજાકર્મ જેણે, એવા તંગીયાનગરીના અનેક શ્રાવકો કહ્યા છે. ll૪/૪ ભાવાર્થ : કોણિકરાજા અને ઉદાયનરાજાએ ભગવાન પધાર્યા ત્યારે વિવેકપૂર્વક વંદનમહોત્સવ કર્યો છે મહોત્સવપૂર્વક વંદન કરવા ગયા છે. તે પ્રવૃત્તિમાં ષકાયનો બાહ્યથી આરંભ છે, છતાં ભગવાન પ્રત્યેનો વધતો જતો ભક્તિનો ભાવ હોવાથી તે વંદન-મહોત્સવમાં લેશ પણ કર્મબંધ નથી તેમ જિનપૂજામાં કર્મબંધ નથી. વળી શાસ્ત્રમાં તંગીયાનગરીના શ્રાવકો સ્નાન કરેલા અને કરેલા બલિકર્મવાળા કહેવાયા છે. તેથી તેઓએ જે સ્નાન કરીને ભગવાનની પૂજાકર્મ કર્યું છે તે દોષરૂપ નથી, તેમ યતના અને ભક્તિપૂર્વક જિનની પૂજામાં આરંભનો દોષ નથી. ૪/૪ અવતરણિકા : ગાથા-૩ અને ગાથા-૪માં કહેલ ક્રિયાઓ સંવરભાવની ક્રિયા છે તેમ બતાવીને જિનપૂજા પણ સંવરભાવની ક્રિયા છે તેમ બતાવે છે – ગાથા : સમકિતસંવરની તે કિરિયા, તિમ જિનપૂજા ઉદાર; હિંસા હોય તો અરથદંડમાં, કહે નહી ? તેહ વિચાર. સુખ૦ ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy