SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા : ૬ વિધિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કથનમાં સ્થાનકવાસી શું સમાધાન આપે છે ? તે બતાવીને તે ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે - 511211 : ૪૮ પરતીર્થીએ જે પરિગ્રહ્યા, મુનિ તે તો પરતીર્થી રે; ત્રણ શરણ માંહિ ચૈત્ય તે; કહે પ્રતિમા શિવઅર્થી રે. શાસન૦ ૬ ગાથાર્થ : પરતીર્થીએ જે મુનિને પરિગ્રહ્યા છે તે તો પરતીર્થી છે માટે પરતીર્થીનાં ચૈત્યોને શાસ્ત્રમાં નમસ્કારનો નિષેધ કર્યો છે. (ત્યાં ચૈત્ય શબ્દથી જ્ઞાન અર્થ ગ્રહણ કરીને જ્ઞાનવાળા એવા મુનિનું ગ્રહણ થઈ શકે છે માટે જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ. તેમ સ્થાનકવાસી કહે છે તેને ગાથાના ઉત્તરાર્ધથી ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –) ત્રણ શરણ માંહિ=ચમરેન્દ્રના સૌધર્મકલ્પમાં ઉત્પાત વિષયમાં જિન, જિનપ્રતિમા અને સાધુ એ ત્રણમાંથી કોઈનું શરણ ગ્રહણ કરી શકે છે. તે ત્રણ શરણમાંહિ, જે ચૈત્ય છે તેને શિવઅર્થી જીવો પ્રતિમા કહે છે. ||3|૬|| ભાવાર્થ : શાસ્ત્રમાં પ૨તીર્થીથી પરિગૃહિત ચૈત્યોને નમસ્કાર કરવાનો નિષેધ છે તેથી અર્થથી જે ચૈત્યો પરતીર્થીથી ગૃહિત નથી તે પૂજનીય છે તેમ સિદ્ધ થાય છે. આ પ્રકારનાં શાસ્ત્રવચનોનાં સમાધાન આપતાં સ્થાનકવાસી કહે છે કે : કોઈ જૈન સાધુ પરતીર્થીથી પરિગૃહિત હોય અર્થાત્ પરતીર્થીના વચનથી પ્રભાવિત થઈને તેના મતમાં ગયેલ હોય તો તે મુનિ પ૨તીર્થી કહેવાય છે અને મુનિ જ્ઞાનવાળા છે માટે જ્ઞાન અને જ્ઞાનવાળા મુનિનો અભેદ કરીને ચૈત્ય શબ્દથી મુનિને ગ્રહણ કરી શકાય છે. તેથી શાસ્ત્રમાં જે પરતીર્થીના ચૈત્યને નમસ્કાર કરવાનો નિષેધ પ્રાપ્ત થાય છે ત્યાં પરતીર્થી શબ્દથી પરતીર્થી પરિગૃહિત મુનિને ગ્રહણ કરવા અને તેમ સ્વીકારીએ તો પરતીર્થી પરિગૃહિત નથી તેવી જિનપ્રતિમા પૂજ્ય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy