SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૪-૫-૬ ૪૭ ભાવાર્થ : ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં આનંદ શ્રાવકના વક્તવ્યનો આલાવો છે અને તે આલાવામાં આનંદ શ્રાવકે જિનપ્રતિમાને નમન કરેલ છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તે આગમવચનના અર્થથી જિનપ્રતિમાને નમસ્કાર કરવા માટે મન હર્ષિત થાય છે માટે જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. IN૩/૪ ગાથા : પરતીર્થી સુર તેહની, પ્રતિમાની નતિ વારી રે; તેણે મુનિ જિનપ્રતિમા તણી, વંદન નીતિ નિરધારી રે. શાસન ૫ ગાથાર્થ : પરતીર્થીના દેવ અને તેની પ્રતિમાની નતિ વારી છે પ્રતિમાને નમસ્કાર, વારેલ છે સમ્યકત્વ ઉચ્ચરાવતી વખતે પરતીર્થીના દેવને નમસ્કાર વારેલ છે, તેણે મુનિની=સાધુની, જિનપ્રતિમા તણી વંદન નીતિ નિરધારી છે. Il3/૫ll ભાવાર્થ : દેશવિરતિ ગ્રહણ વખતે શ્રાવકને સમ્યક્ત્વમૂલ બારવ્રત અને સંયમ ગ્રહણ કરતી વખતે સાધુને સમ્યત્વમૂલ પાંચ મહાવ્રતો ઉચ્ચરાવાય છે. તે વખતે સમ્યક્ત્વના આલાવામાં પરતીર્થીના દેવો અને તેમની પ્રતિમાને નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવાય છે. આના દ્વારા અર્થથી જણાય છે કે સાધુને આશ્રયીને જિનપ્રતિમાને નતિ=નમસ્કાર, કરવાની વિધિ છે માટે પ્રતિમા પૂજ્ય છે, તેમ સ્વીકારવું જોઈએ. 13/પા અવતરણિકા : શાસ્ત્રમાં પરતીર્થીનાં ચૈત્યોને નમસ્કાર કરવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તે દ્વારા અર્થથી પરતીર્થીથી ગ્રહિત નથી તેવાં ચૈત્યોને નમસ્કાર કરવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy