SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથાઃ ૬-૭ તેવો અર્થ પરતીર્થી પરિગૃહિત ચૈત્યના નમસ્કારના નિષેધથી થઈ શકે નહિ. એ પ્રકારે સ્થાનકવાસી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – ચમરેન્દ્રના ઉત્પાતના આલાવામાં કહ્યું છે કે – ચમરેન્દ્ર ઊર્ધ્વમાં પ્રથમ દેવલોક સુધી જવાની શક્તિવાળો નથી. આમ છતાં ત્રણનું શરણ લઈને સૌધર્મ દેવલોક સુધી તેનો ઉત્પાત સંભવે છે અને તે ત્રણના શરણમાં કહ્યું છે કે તીર્થંકરનું, તીર્થકરના ભાવગ્રામવાળા ચૈત્યનું શુદ્ધ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલ જિનપ્રતિમાનું અને ભાવગ્રામવાળા મુનિનું=ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકની નિર્મળ પરિણતિવાળા મુનિનું, શરણ લઈને ચમરેન્દ્ર સૌધર્મ દેવલોક સુધી ઉત્પાત કરી શકે. તેથી એ ફલિત થાય કે ચૈત્ય શબ્દથી જો મુનિનું ગ્રહણ થતું હોય તો ત્રણના શરણના ગ્રહણમાં ચૈત્ય અને મુનિ બેનો સ્વતંત્ર ઉલ્લેખ થાય નહિ અને ત્રણના શરણમાં ચૈત્ય શબ્દનો મુનિથી સ્વતંત્ર ઉલ્લેખ છે તેથી મોક્ષના અર્થી જીવો ચૈત્યને જિનપ્રતિમા કહે છે. માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્વીકારવું જોઈએ. II3/ષા અવતરણિકા : પ્રસ્તવ્યાકરણસૂત્ર નામના દશમા અંગમાં કેવા સાધુ ત્રીજા વ્રતની આરાધના કરે છે તેને બતાવવા માટેનો પાઠ છે. તેમાં કહેલ છે કે જે સાધુ દશનું વૈયાવચ્ચ કરે છે તે ત્રીજા વ્રતની આરાધના કરે છે અને તે દશ વસ્તુમાં ચૈત્યનું ગ્રહણ છે. હવે ચૈત્યનો અર્થ પ્રતિમા ગ્રહણ કરીએ તો પ્રતિમા પ્રત્યે આહારાદિ દાનથી વૈયાવચ્ચ થઈ શકે નહિ માટે ચૈત્ય શબ્દથી મુનિને ગ્રહણ કરવા જોઈએ એમ સ્થાનકવાસી કહે છે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા : દાન કિશું પ્રતિમા પ્રતિ'? એમ કહે કે છલ હેરી રે; ઉત્તર તાસ સંભવ તણી, શૈલી છે સૂત્ર કેરી રે. શાસન ૭ ગાથાર્થ - પ્રતિમા પ્રત્યે દાન કેવી રીતે હોય એમ સ્થાનકવાસી કહે છે, જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy