SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | arળ ઃ ૧| ગાથા: ૨૦-૨૧ આશ્રયીને તેઓને કોઈ દોષની પ્રાપ્તિ થઈ નથી, માટે જંઘાચારણાદિના પ્રતિમાના નમસ્કારના વચનથી પણ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે. ll૧/૨ll અવતરણિકા : ભગવતીસૂત્રના જંઘાચારણ-વિદ્યાચારણ મુનિના પ્રતિમાના વંદનને આશ્રયીને કહેલા પાઠના બળથી પ્રતિમાની પૂજ્યતા ગ્રંથકારશ્રીએ સ્થાપિત કરી તેના વિષયમાં કોઈક સ્થાનકવાસી શું કહે છે ? તે બતાવે છે – ગાથા : કહે કોઈ એ કહેવા માત્રજ, કોઈ ન ગયો નવિ જાસ્ય; નહીંતો લવણશિખા માંહિ જાતાં, કિમ આરાધક થાયે રે? જિનજી! ૨૧ ગાથાર્થ - કોઈ કહે છે કે કોઈક સ્થાનકવાસી કહે છે કે, એ=ભગવતીસૂત્રનું, વચન કહેવા માત્ર જ છે પરંતુ કોઈ જંઘાચારણ મુનિ કે વિદ્યાચારણ મુનિ ગયા નથી અને જાશે નહિ; કેમ કે નહીં તો લવણની શિખામાંથી જાતાં=લવણસમુદ્રના પાણીનાં મોજાંમાંથી ઊછળતી શિખામાંથી જાતાં તેઓ આરાધક કેમ થાય ? અર્થાત્ આરાધક થાય નહિ. II૧/૨ll ભાવાર્થ - ગાથા ૧૪થી ગાથા-૧૮ સુધી ભગવતીસૂત્રના વચનથી જંઘાચારણ મુનિ અને વિદ્યાચારણ મુનિ સુચકદીપાદિમાં પ્રતિમાને નમસ્કાર કરે છે એ વચનના બળથી પ્રતિમા પૂજ્ય છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં પ્રતિમાને પૂજ્ય નહિ સ્વીકારનાર સ્થાનકવાસી કહે છે કે ભગવતીસૂત્રનું તે વચન હેવામાત્રરૂપ છે અર્થાત્ જંઘાચારણ મુનિ અને વિદ્યાચારણ મુનિ આટલું જઈ શકે છે તે બતાવવા માટે છે, પરંતુ વસ્તુત: કોઈ જંઘાચારણ મુનિ કે વિદ્યાચારણ મુનિ ગયા નથી અને જશે નહિ; કેમ કે રુચકીપાદિમાં જવા માટે લવણસમુદ્રમાંથી ઊછળતાં મોજાંની શિખામાંથી જવું પડે અને તેઓ તે રીતે જાય તો અપ્લાય જીવોની વિરાધના થાય તો તેઓ આરાધક કેમ થાય ? અર્થાત્ આરાધક થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy