SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા ૧૯-૨૦ થયેલ પ્રમાદકૃત આલોચનનું સ્થાન કહેલ છે, કેમ કે તીરગતિથી જે જાત્રાએ જાય તે સંયમમાં દોષરૂપ છે. વાસ્તવિક રીતે તે જંઘાચારણ મહાત્માઓને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વચમાં આવતાં સર્વ ચૈત્યોના નમસ્કારપૂર્વક જવું જોઈએ. તેના બદલે એક ડગલા આદિની ગતિથી તેઓ જાત્રાએ જાય છે તે ગમન વિષયક પ્રમાદ છે અને તેનું આલોચન કરવાનું ભગવતીસૂત્રમાં કહેલ છે. તેના બદલે સ્વમતિમાં રહેલ પ્રતિમાની અપૂજ્યતાને આગળ કરી ભગવતીસૂત્રના અવળા અર્થો જેઓ કરે છે તેઓ ભગવતીસૂત્રની આશાતના કરે છે. એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧ અવતરણિકા : જંઘાચારણાદિ મુનિને જિનપ્રતિમાના મત વિષયક આલોચન નથી પરંતુ પ્રમાદ વિષયક છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : કરી ગોચરી જિમ આલોએ, દશવૈકાલિક સાખે; તિમ એ ઠામ પ્રમાદ આલોએ, નહીં દોષ તે પાખે રે. જિનજી! ૨૦ ગાથાર્થ : દશવૈકાલિકસૂત્રની સાક્ષીથી સાધુ ગોચરી કરી ગોચરી લાવીને જેમ આલોએ છે, તેમ પ્રમાદનું એ સ્થાન તીર ગતિના ગમનનું સ્થાન જંઘાચારણાદિ મુનિ આલોએ, પરંતુ તે પાનેપ્રતિમાના નમનને આશ્રયીને, નહીં દોષ લેશ પણ દોષ નથી. ll૧/૨૦| ભાવાર્થ સાધુને ગોચરી લાવ્યા પછી ગોચરીના ગ્રહણ વિષયક કોઈ સૂક્ષ્મ સ્કૂલના થઈ હોય તે સર્વની ગુરુ સાક્ષીએ આલોચના કરવાનું દશવૈકાલિકસૂત્રમાં કહેલ છે. અને તે રીતે જેઓ આલોચના કરે છે તેઓ ગોચરીના ગ્રહણ વિષયક દોષની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રીતે જંઘાચારણાદિ મહાત્માઓ પણ તીર ગતિથી જાત્રાએ ગયા તો તે સ્થાને થયેલા પ્રમાદ દોષને આલોવે છે જેથી સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થાય. પરંતુ તેઓએ પ્રતિમાને નમસ્કાર કર્યા છે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy