SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧| ગાથાઃ ૧૮-૧૯ ક્યાં ઉપલબ્ધ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ભગવતીસૂત્રના વીશમાં શતકમાં નવમા ઉદ્દેશામાં જંઘાચારણાદિ મુનિઓએ પ્રતિમા નંદી છે એ પ્રકારનો પાઠ છે. તે પાઠને જોઈને જેઓ તે પાઠના અવળા અર્થ કરે છે અને પ્રતિમા પૂજ્ય નથી તેમ સ્થાપન કરવા પ્રયત્ન કરે છે તેઓની મતિ કુમતિવાળા એવા ગુરુના ફંદામાં પડી છે અર્થાત્ કુગુરુના આલંબનથી વિપરીત અર્થ કરીને તેઓ ભગવતીસૂત્રની આશાતના કરે છે. I૧/૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રના વચનને જોઈને જે અવળા અર્થ કરે છે તેઓની મતિ કુમતિના ફંદામાં પડી છે. તેથી હવે તેઓ ભગવતીસૂત્રના કેવા પ્રકારના અવળા અર્થ કરે છે ? તે બતાવીને તે અર્થ ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : આલોઅણનું ઠાણ કહ્યું કે, તેહ પ્રમાદ ગતિ કેરો; તીર ગતિ જે જાત્ર વિચાલે, રહે તે ખેદ ઘણેરો રે. જિનાજી! ૧૯ ગાથાર્થ - આલોચનાનું સ્થાન જે કહ્યું ભગવતીસૂત્રમાં જંઘાચારણ અને વિધાયારણનું પ્રતિમાનમનની ક્વિામાં જે આલોચનાનું સ્થાન કહ્યું, તે ગતિ કેરો પ્રમાદ છે, જે તીર ગતિથી જાત્રા વિચાલે તીર ગતિથી જાત્રા કરે છે, તે ઘણેરો ખેદ રહે છે ઘણા દોષનું કારણ બને છે. ll૧/૧૯ll ભાવાર્થ “જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિ સુચકદ્રીપાદિમાં જિનપ્રતિમાને નમન કરવા ગયેલ છે તેનું આલોચન ન કરે તો તેઓ વિરાધક છે,’ એ પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે. તેનાથી નક્કી થાય છે કે જિનપ્રતિમા અપૂજ્ય છે” તેમ સ્થાનકવાસી સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ભગવતીસૂત્રમાં જંઘાચારણાદિ મુનિના વંદનઅર્થે ગમનને આલોચનાનું સ્થાન કહ્યું છે તે પ્રતિમાના નમસ્કારને કારણે નથી, પરંતુ સૂચકદીપાદિમાં કરાયેલી ગમનની ક્રિયામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy