SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથા: ૧૭-૧૮ નંદીશ્વરનું એમ બે ડગલાં, થાય છે અને પાછા આવતાં એક ડગલું થાય છે. ૧/૧૭ના ભાવાર્થ - પૂર્વગાથામાં કહ્યું કે વિદ્યાચારણ મુનિ બીજા ડગલે નંદીશ્વરની જિનપ્રતિમાને વંદે છે, ત્યારપછી ત્યાંથી પ્રતિમાના વંદનના પ્રયોજનથી એક ડગલે અહીં આવે છે. આ રીતે અહીંથી જવામાં એક ડગલે માનુષોત્તરપર્વત અને બીજા ડગલે નંદીશ્વરદ્વીપ એમ બે ડગલાં થાય છે અને પાછા આવવામાં એક ડગલું થાય છે. આમ ત્રણ ડગલાંથી તેઓ સર્વ સ્થાને પ્રતિમાને વંદે છે એ પ્રકારના પાઠથી જિનપ્રતિમા વંદનીય છે તેમ સિદ્ધ થાય છે. II૧/૧ળી. અવતરણિકા - ગાથા-૧૪થી ગાથા-૧૭ સુધી ભગવતીસૂત્રના પાઠથી જઘાચારણ અને વિદ્યાચારણ મુનિ જિનપ્રતિમાને નમે છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્થાપન કર્યું. હવે ભગવતીસૂત્રમાં તે પાઠ કયા સ્થાને છે? તે બતાવવા કહે છે – ગાથા : શતક (ઈક-)વીશમે નવમ ઉદેશે, પ્રતિમા મુનિવર વંદી; ઇમ દેખી જે અવલા ભાજ, તસ મતિ કુમતિ ફંદી રે. જિનજી! ૧૮ ગાથાર્થ : શતક વીશમે ભગવતીસૂત્રના વશમા શતકમાં નવમા ઉદ્દેશામાં મુનિવરે પ્રતિમા વંદી છે એમ જોઈને જે અવળા ભાંજે જિનપ્રતિમાને અપૂજ્ય કહે, તેની મતિ કુમતિના ફંદામાં પડી છે કુગુરુના વચનના ફંદામાં પડી છે. II૧/૧૮ll ભાવાર્થ : પૂર્વમાં ભગવતીસૂત્રના વચનથી જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિએ પ્રતિમાને કરાયેલા નમસ્કાર બતાવીને પ્રતિમાની પૂજ્યતા સ્થાપન કરી તે પાઠ ભગવતીસૂત્રમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy