SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧| ગાથાઃ ૧૬-૧૭ ગાથા : વિધાચારણ તે એક ડગલે, માનુષોત્તરે જાય; બીજે નંદીસરે જિનપ્રતિમા, પ્રણમી પ્રમુદિત થાય રે. જિનાજી! ૧૬ ગાથાર્થ - વિધાધારણ મુનિઓ એક ડગલે માનુષોત્તર પર્વત ઉપર જાય છે, ત્યાંની પ્રતિમાને વંદે છે, બીજે ડગલે નંદીશ્વરદ્વીપ જાય છે અને જિનપ્રતિમાને પ્રણામ કરીને પ્રમોદિત થાય છે. આ પ્રકારનું ભગવતીસૂનનું વચન છે. II૧/૧૬ ભાવાર્થ : પૂર્વગત શ્રુત ભણતાં અને તપની આચરણા કરતાં કેટલાક મુનિઓને વિદ્યાચારણ લબ્ધિ પ્રગટ થાય છે અને તેઓને પોતાની શક્તિ કેટલી છે તે જાણવાની ઇચ્છા થાય તો એક ડગલે માનુષોત્તર પર્વત ઉપર જાય છે અને ત્યાંની પ્રતિમાને વંદે છે, ત્યાંથી બીજા ડગલે નંદીશ્વરદ્વીપ જાય છે અને ત્યાંની પ્રતિમાને નમસ્કાર કરીને પ્રમોદિત થાય છે. આ પ્રકારના શ્રીભગવતીસૂત્રના વચનથી વિદ્યાચારણ મુનિ દ્વારા પણ જિનપ્રતિમાને નમસ્કાર કરાય છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. II૧/૧કા ગાથા : તિહાંથી પડિમા વંદણ કારણ, એક ડગલે બહાં આવે; ઊર્ધપણે જાતાં બે ડગલાં, આવતાં એક સ્વભાવે રે. જિનજી! ૧૭ ગાથાર્થ : તિહાંથી=નંદીશ્વરની જિનપ્રતિમાને વંદન કરી ત્યાંથી, પ્રતિમાના વંદનને કારણે એક ડગલે અહીંયાં આવે છે=ભરતક્ષેત્રમાં આવે છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઊર્ધ્વપણે જાતાં બે ડગલાં એક ડગલું માનુષોતરનું અને બીજું ડગલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy