SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૧ | ગાથા : ૧૪-૧૫, ૧૬ ૧૫ પાછા આવતાં એક ડગલે નંદીશ્વરે આવે છે, બીજા ડગલામાં અહીંભરતક્ષેત્રમાં આવે છે અને જિનને વંદે છે જિનપ્રતિમાને વંદે છે. I/૧/૧૪ll ભગવતીસૂત્રમાં જંઘાયારણ કેરી જંઘાયારણ મુનિની, આ તિર્થી ગતિ ભાખી છે. વળી પંડગવન એક ડગલે પાંડુકવનમાં જાય, બીજા ડગલે નંદનવનમાં જાય છે અને અહીં–પંડગવન અને નંદનવનમાં રહેલી ઊર્ધ્વલોકની ઘણી પ્રતિમાને નમે છે. II૧/૧૫II ભાવાર્થ : જંઘાચારણ મુનિને જંઘાચારણની લબ્ધિ પ્રગટે ત્યારે પોતાને પ્રગટ થયેલી શક્તિ કેવી છે તેમ જાણવાની ઇચ્છા થાય તો એક ડગલે રુચકદ્વીપ જાય છે અને ત્યાં રહેલી જિનપ્રતિમાને નમીને આનંદ પામે છે તેમ શ્રીભગવતીસૂત્રમાં કહેલ છે. વળી જિનપ્રતિમાને નમ્યા પછી પાછા આવતાં એક ડગલે નંદીશ્વરદ્વીપે આવે છે અને ત્યાં પ્રતિમાને નમે છે અને બીજા ડગલે અહીં=ભરતક્ષેત્રમાં, આવે છે અને જિનપ્રતિમાને વંદે છે. જંઘાચારણની આ જવાની અને આવવાની ત્રણ ડગલાની ગતિ ત્રિછી (ત્રાંસી) ગતિ છે એમ કહેલ છે. આ વચનથી જંઘાચારણ મુનિએ પ્રતિમાને નમસ્કાર કરેલ છે તેથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. વળી જંઘાચારણ મુનિ ઊર્ધ્વલોકમાં મેરુ પર્વત ઉપર રહેલ પાંડુકવનમાં એક ડગલે જાય છે, ત્યાંથી પાછા આવતાં એક ડગલે નંદનવન આવે છે અને ત્યાં ઘણી પ્રતિમાઓને નમે છે તેથી મેરુ પર્વત ઉપર રહેલ ઊર્ધ્વલોકની પ્રતિમાને જંઘાચારણ મુનિ નમસ્કાર કરે છે એ પ્રકારના ભગવતીસૂત્રના પાઠથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. ll૧/૧૪-૧પ અવતરણિકા : વિદ્યાચારણ મુનિઓ જિનપ્રતિમાને તમે છે માટે જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy