SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ / ગાથા : ૯-૧૦ સ્વમતિ અનુસાર અર્થ કરે, તેહનો બોલ તેમનાં વચનો, ભાવે નહિક વિચારકને રુચે નહિ. ll૧/૯ll ભાવાર્થ : શ્રીભગવતીસૂત્રમાં ગણધરદેવોએ બ્રાહ્મીલિપિને નમસ્કાર કર્યો છે એ બ્રાહ્મીલિપિ શબ્દથી બ્રાહ્મીલિપિના કર્તા એવા ઋષભદેવ ભગવાનને ગણધરદેવોએ નમસ્કાર કરેલ છે એમ પ્રતિમાના લોપન કરનારા કહે છે તેમનું તે વચન ઉચિત નથી; કેમ કે “બ્રાહ્મીલિપિ” શબ્દથી તેમના કર્તા ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરવામાં આવે તો “બ્રાહ્મીલિપિ” શબ્દથી બ્રાહ્મીલિપિના લખનારા લહિયા પણ ગ્રહણ થાય અને તેમ સ્વીકારીએ તો ભગવતીસૂત્રમાં “બ્રાહ્મીલિપિ” શબ્દથી ગણધરોએ લહિયાઓને નમસ્કાર કરેલ છે તેવો અર્થ સ્વીકારવો પડે જે અત્યંત અનુચિત છે. માટે શાસ્ત્રના યથાર્થ અર્થો કરનાર ગીતાર્થ ગુરુના વચન વગર જેઓ સ્વરુચિ અનુસાર શાસ્ત્રના અર્થો કરે છે તેઓના બોલેલા અર્થો બુદ્ધિમાનને રુચતા નથી. માટે તેઓના કરાયેલા “બ્રાહ્મીલિપિ”શબ્દના અર્થથી બ્રાહ્મીલિપિનો અર્થ ઋષભદેવ ભગવાન થઈ શકે નહિ, પરંતુ બ્રાહ્મીલિપિનો અર્થ જ્ઞાનની સ્થાપના સ્વીકારવો જ ઉચિત છે. માટે સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે તેમ શ્રીભગવતીસૂત્રના વચનથી સિદ્ધ થાય છે. II૧/લા. અવતરણિકા : ગણધરોએ બ્રાહ્મીલિપિને જ નમસ્કાર કર્યો છે તે વચન કઈ રીતે સંગત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : જિનવાણી પણ દ્રવ્ય-શ્રુત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્યવિશેષે રે. જિનાજી! ૧૦ ગાથાર્થ - નંદીસૂત્રને લેખે નંદીસૂત્રના વચન પ્રમાણે ભગવાનની વાણી પણ દ્રવ્યશ્રત છે, જેમ તે=જેમ ભગવાનની વાણીને નમસ્કાર કરાય છે તેમ બ્રાહ્મીલિપિને નમીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy