SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ૧ / ગાથા : ૮-૯ બ્રાહ્મીલિપિનો અર્થ કરે છે તેઓ ઘીટ્ટા કુમતિ છે અને તેવા જીવો ઘણા ભવો ભવશે. ll૧/૮ll ભાવાર્થ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય નથી તેવી વિપરીત માન્યતા ચિત્તમાં દૃઢ રાખીને શાસ્ત્રવચનને તેને અનુરૂપ જોડવા માટે જેઓ યત્ન કરે છે તેવા પ્રતિમાના લોપન કરનારા કુમતિવાળા અને આત્માને ઠગીને સ્વમતિ અનુસાર શાસ્ત્રનો અર્થ કરનારા તેઓ ધીઢા છે. તેથી સમવાયાંગસૂત્રમાં બ્રાહ્મીલિપિના અઢાર ભેદો પ્રસિદ્ધ છે તે શુદ્ધ અર્થને મરડીને તેઓ કહે છે કે ભગવતીસૂત્રની આદિમાં જે બ્રાહ્મીલિપિને ગણધરદેવોએ પ્રણામ કર્યા છે તે બ્રાહ્મીલિપિથી બ્રાહ્મીલિપિના કર્તા શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર થાય છે માટે ભગવતીસૂત્રના બ્રાહ્મીલિપિના નમસ્કારના વચનથી સ્થાપનાનિક્ષેપો પૂજ્ય સિદ્ધ થતો નથી. આ પ્રકારે શુદ્ધ અર્થને મરડનાર અને આત્મવંચના કરીને શાસ્ત્રવચનને જોડનારા કુમતિવાળા જીવો ઘણા ભવો સંસારમાં ભટકશે. ll૧/૮ અવતરણિકા : શ્રીભગવતીસૂત્રના પ્રારંભમાં બ્રાહ્મીલિપિ શબ્દથી ગણધરદેવોએ બ્રાહ્મીલિપિના કર્તા ઋષભદેવ ભગવાનને નમસ્કાર કર્યો છે તેવો અર્થ થઈ શકે નહિ, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ગંભીલિપિ જો તેહનો કર્તા, તો લેખક પણ આવે; ગુઆણા વિણ અરથ કરે , તેનો બોલ ન ભાવે રે. જિનાજી! ૯ ગાથાર્થ - જો બ્રાહ્મીલિપિ શબ્દથી તેહના કર્તા બ્રાહ્મીલિપિના કર્તા, ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરીએ તો લેખક પણ આવે બ્રાહ્મીલિપિમાં આગમને લખનાર લહિયા પણ આવે, ગુરુની આજ્ઞા વગરષશાસ્ત્રના પરમાર્થને જાણનારા ગીતાર્થ ગુરુના વચન વગર, જેઓ અર્થ કરે=જેઓ શાસ્ત્રોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy