SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૧૦-૧૧ અહીં પ્રશ્ન થાય કે ભગવાનની વાણી દ્રવ્યશ્રત છે. તેથી દ્રવ્ય અને ભાવની વચમાં ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ભાવ તે દ્રવ્યવિશેષ છે. ll૧/૧૦/l ભાવાર્થ : ભાવશ્રુતનું કારણ બને તે દ્રવ્યશ્રુત કહેવાય અને ભગવાનની વાણી શ્રોતાને ભાવશ્રુતનું કારણ બને છે માટે દ્રવ્યશ્રુત છે. એ પ્રમાણે નંદીસૂત્રના વચનથી નક્કી થાય છે. જેમ ભગવાનની વાણી દ્રવ્યશ્રુત છે છતાં તેને નમસ્કાર કરાય છે તેમ બ્રાહ્મીલિપિને પણ ભાવથુતનું કારણ હોવાથી નમસ્કાર કરાય છે. માટે ભગવતીસૂત્રની આદિમાં ગણધર ભગવંતોએ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે. વળી ભાવ અને દ્રવ્ય વચ્ચે ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. “ભાવ તે દ્રવ્યવિશેષ છે.” આશય એ છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે તીર્થંકરનો આત્મા દ્રવ્યતીર્થકર છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તે તીર્થંકરનો આત્મા ભાવતીર્થકર છે તેથી તીર્થકરરૂપ ભાવવિશેષવાળું દ્રવ્ય તે, દ્રવ્યતીર્થકર કરતાં વિશેષ છે અર્થાત્ તીર્થકરના આત્મામાં તીર્થંકરપણું નથી ત્યારે દ્રવ્યતીર્થકર છે તેના કરતાં તે દ્રવ્યમાં તીર્થકરરૂપ ભાવવિશેષ છે. અને જે દ્રવ્યવિશેષ હોય તે ભાવ કહેવાય અને જે દ્રવ્યમાં તેવો વિશેષ ભાવ ન હોય તે દ્રવ્ય કહેવાય પણ દ્રવ્યવિશેષ ન કહેવાય. /૧/૧લી. અવતરણિકા : પૂર્વગાથામાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કેમ થાય ? તે નંદીસૂત્રની સાક્ષીથી બતાવ્યું. હવે બ્રાહ્મીલિપિ અજીવ હોવા છતાં નમસ્કાર કેમ થઈ શકે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા - જિમ અજીવ સંયમનું સાધન, જ્ઞાનાદિકનું તેમ; શુદ્ધભાવ આરોપે વિધિસ્યું, તેહને સઘલે ખેમ રે. જિનજી!૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy