SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧| ગાથા ૭-૮ છે, તે=બ્રાહ્મીલિપિ, જ્ઞાનતણી સ્થાપના છે અથવા અવિવાદથી દ્રવ્યશ્રત છે. II૧/૭ના ભાવાર્થ - શ્રીભગવતીસૂત્ર અંગમાં મંગલાચરણ કરતી વખતે ગણધર ભગવંતોએ “નમો ગંભીએ લિવીએ” સૂત્ર દ્વારા આદિમાં બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ છે અને બ્રાહ્મીલિપિ એ જ્ઞાન નથી પરંતુ જ્ઞાનની સ્થાપના છે અથવા ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. એ પ્રકારે વિવાદ વગર નિક્ષેપાના અર્થને, જાણનારા સ્વીકારે છે, તેથી જ્ઞાનની સ્થાપના એવી બ્રાહ્મીલિપિ પૂજ્ય ન હોય તો ગણધર ભગવંત શ્રીભગવતીસૂત્રની આદિમાં તેને પ્રમાણ કરે નહિ અને શ્રીભગવતીસૂત્રની આદિમાં બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ છે માટે જેમ જ્ઞાન પૂજ્ય છે તેમ તેની સ્થાપના પણ પૂજ્ય છે તે સિદ્ધ થાય છે. તે રીતે ભાવજિન જેમ પૂજ્ય છે તેમ ભાવજિનની સ્થાપનારૂપ મૂર્તિ પણ પૂજ્ય છે તે બ્રાહ્મીલિપિના પ્રમાણથી સિદ્ધ થાય છે. II૧/ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે બ્રાહ્મીલિપિ જ્ઞાનની સ્થાપના છે અને ગણધરદેવોએ ભગવતીસૂત્રતા પ્રારંભમાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે માટે સ્થાપનાતિક્ષેપો પૂજ્ય છે. ત્યાં સ્થાનકવાસી બ્રાહ્મીલિપિનો અર્થ સ્થાપના ન થાય તેમ સિદ્ધ કરવા અર્થે બ્રાહ્મીલિપિના કર્તા એવા ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરે છે, તેનો અર્થ કરવો ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ભેદ અઢાર જે ગંભીલિપિના, સમવાયાંગે દીઠા; શુદ્ધ અરથ મરડી ભવ બહુલા, ભમશે કુમતી ધીઠા રે. જિનાજી! ૮ ગાથાર્થ : બ્રાહ્મીલિપિના જે અઢાર ભેદ સમવાયાંગસૂત્ર નામના આગમમાં દેખાય છે તે શુદ્ધ અર્થને મરડીને જે પોતાની માન્યતા અનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy