SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૬-૭ ગાયા ઃ સૂત્ર આવશ્યક જે ઘરઘરનું, કહસ્થે તે અજ્ઞાની; પુસ્તક અર્થ-પરંપર આવ્યું, માને તેહ જ જ્ઞાની રે. જિનજી! ૬ ગાથાર્થ જેઓ આવશ્યકસૂત્ર ઘરઘરનું=પોતાનું, કહેશે, તેઓ અજ્ઞાની છે પરંતુ પુસ્તકના અર્થની પરંપરાથી આવેલું આવશ્યક માને તે જ જ્ઞાની છે. ||૧/૬|| ભાવાર્થ : સ્થાનકવાસી આવશ્યકસૂત્ર સ્વીકારે છે પરંતુ પુસ્તકમાં જે આવશ્યકસૂત્ર લખાણરૂપે ઉપલબ્ધ છે અને પરંપરાથી તેના અર્થો પ્રાપ્ત થાય છે તેને માનતા નથી અને પોતાની રીતે આવશ્યકસૂત્ર સ્વીકારીને સ્થાપનાનિક્ષેપાનો અપલાપ કરે છે. તેઓ અજ્ઞાની છે; કેમ કે જેમ પુસ્તકમાં લખેલું આગમ પરંપરાથી આવેલું છે, તેને સ્થાનકવાસી પ્રમાણ સ્વીકારે છે તેમ પુસ્તકમાં લખેલું આવશ્યકસૂત્ર તેઓ પ્રમાણ સ્વીકારે તો તેઓ ભગવાનના વચનને યથાર્થ જાણનારા જ્ઞાની છે તેમ કહી શકાય. પરંતુ પોતાની મતિ અનુસાર સ્થાપનાનિક્ષેપો અપ્રમાણ છે તેમ માનીને સ્થાપનાનિક્ષેપાને પ્રમાણ સ્વીકારનાર પરંપરાથી આવેલ અને પુસ્તકમાં લખાણરૂપે પ્રાપ્ત એવા આવશ્યકસૂત્રને તેઓ પ્રમાણ માનતા નથી તે તેમની અજ્ઞાનતા છે. 119/911 અવતરણિકા : વળી શ્રીભગવતીસૂત્રના વચનથી પણ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે ગાથા : છ - Jain Education International બંભીલિપિ શ્રીગણધરદેવે, પ્રણમી ભગવઈ આદે; જ્ઞાનતણી તે ઠવણા અથવા, દ્રવ્યશ્રુત અવિવાદે રે, જિનજી! ૭ ગાથાર્થ ઃ શ્રીભગવતીસૂત્રની આદિમાં ગણધરદેવોએ, બ્રાહ્મીલિપિને પ્રણામ કરેલ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy