SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વીરતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૧ | ગાથા: ૫-૬ કેમ પ્રમાણ છે ? તેથી કહે છે – ભગવતી નંદી સાખેં ભગવતીસૂત્ર અને નંદીસૂત્રની સાક્ષીથી સમ્મત છે=આવશ્યકસૂત્ર સમ્મત છે, તેહમાં નહીં સંદેહ=આવશ્યકસૂત્રની સમ્મતિમાં સંદેહ નથી. ll૧/ull ભાવાર્થ જીવોની શક્તિની અલ્પતાને કારણે ભગવાનના નિર્વાણ પછી ભગવાનનાં આગમો પુસ્તક સ્વરૂપે લખાયાં. તે લખાયેલાં આગમો સર્વજ્ઞના વચનાનુસાર હોવાથી જૈનો તેને પ્રમાણભૂત સ્વીકારે છે અને સ્થાનકવાસી પણ તે આગમોને પ્રમાણભૂત સ્વીકારે છે. આમ પુસ્તકમાં લખાણરૂપે પ્રાપ્ત આવશ્યકસૂત્ર પણ પ્રમાણ છે માટે પ્રસ્તુત સ્તવનની ત્રીજી ગાથામાં કહ્યું તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના આવશ્યકસૂત્ર પ્રમાણે પ્રમાણભૂત માનવી જોઈએ, તેથી સ્થાપનાનિક્ષેપાને પ્રમાણ સ્વીકારીને જિનપ્રતિમાને પૂજ્ય તરીકે સ્વીકારવી જોઈએ એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. અહીં પ્રશ્ન થાય કે આગમ પ્રમાણ છે તેમ આવશ્યકસૂત્ર પ્રમાણ છે તેમ કેમ સ્વીકારી શકાય ? તેથી કહે છે – શ્રીભગવતીસૂત્રમાં અને નંદીસૂત્રમાં આવશ્યકસૂત્રોની સાક્ષી હોવાને કારણે આવશ્યકસૂત્ર સમ્મત છે. તેથી આવશ્યકસૂત્રની પ્રમાણભૂતતામાં કોઈ સંદેહ નથી. માટે આવશ્યક સૂત્રના વચનાનુસાર સ્થાપના નિક્ષેપાને પણ પ્રમાણ માનવો જોઈએ. II૧/પી. અવતરણિકા - ગાથા-પમાં કહ્યું કે પુસ્તકલિખિત જે આગમો છે તે પ્રમાણભૂત છે તેમ પુસ્તકલિખિત આવશ્યકસૂત્ર પણ પ્રમાણભૂત છે. તેથી ગાથા-૩માં કહ્યું તે પ્રમાણે આવશ્યકસૂત્ર અનુસાર ગુરુના વિરહમાં સ્થાપતાગુરુ વખાણ્યા છે, ત્યાં સ્થાનકવાસી તે આવશ્યકસૂત્રને સ્વીકાર્યા વગર પોતાની મતિ અનુસાર આવશ્યકસૂત્રને સ્વીકારીને સ્થાપનાતિક્ષેપાનો અપલાપ કરે છે તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy