SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ગાથા : ૪-૫ ભાવાર્થ : ચાર નિપાને પ્રમાણ સ્વીકારવાની યુક્તિ બતાવીને, સ્થાપના નિક્ષેપાના પ્રમાણથી, જિનપ્રતિમાની પૂજ્યતાને સ્તવનકારશ્રી સ્થાપન કરે છે. લોગસ્સસૂત્રમાં ચોવીસ તીર્થકરોના નામોનું કીર્તન છે તેથી ચોવીસ તીર્થકરોનો નામનિક્ષેપો પૂજ્ય સિદ્ધ થાય છે. વળી આ લોગસ્સસૂત્ર શ્રી ઋષભદેવ ભગવાનના કાળમાં પણ બોલાતું હતું તે વખતે શ્રી ઋષભદેવ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકરો ભાવતીર્થકર થયા ન હતા પરંતુ તેઓનો આત્મા દ્રવ્યતીર્થકર હતો અને તેમના નામના કીર્તન દ્વારા તેમના જીવદ્રવ્યની ઉપસ્થિતિ થતી હતી જે દ્રવ્યતીર્થકરની ઉપસ્થિતિ સ્વરૂપ છે. તેથી લોગસ્સસૂત્ર દ્વારા દ્રવ્ય નિક્ષેપો પણ પૂજ્ય સિદ્ધ થાય છે. વળી અરિહંતચેઇયાણસૂત્ર દ્વારા કાઉસગ્ગ આલાવામાં સ્થાપના નિક્ષેપાની પૂજ્યતાની સિદ્ધિ થાય છે; કેમ કે અરિહંતચૈત્યોના વંદન નિમિત્તે અરિહંતચેઇયાણસૂત્ર બોલાય છે અને ભાવનિક્ષેપો સર્વત્ર પૂજ્ય છે. II૧/૪ll અવતરણિકા - ગાથા-૩માં કહેલ કે આવશ્યકસૂત્ર પ્રમાણે ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના વખાણું તેથી સ્થાપનાતિક્ષેપો પૂજ્ય સિદ્ધ થાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આવશ્યકસૂત્ર પ્રમાણે ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના પૂજ્ય છે તે કથન પ્રમાણભૂત નથી, તેથી હવે આવશ્યકસૂત્ર પ્રમાણભૂત છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : પુસ્તક-લિખિત સકલ જિમ આગમ, તિમ આવશ્યક એહ; ભગવઈ નંદી સાખેં સમ્મત, તેહમાં નહીં સંદેહ રે. જિનજી૫ ગાથાર્થ : જેમ પુસ્તકમાં લખાયેલા સકલ જિન આગમ પ્રમાણ છે તેમ આ આવશ્યકસૂત્ર' પણ પ્રમાણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy