SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૧૩-૧૪ ૧૧૭ ગાથા : વલિય વિગપડિબદ્ધને વાચના, શ્રીઠાણાંગે નિષિદ્ધ; નવિય મનોરથ શ્રુત ભણવાતણો, શ્રાવકને સુપ્રસિદ્ધ સમકિત) ૧૩ ગાથાર્થ : શ્રી ઠાણાંગસૂત્રમાં વિગપ્રતિબદ્ધ એવા સાધુને વાચના આપવાનો નિષેધ છે અને શ્રાવકને મૃત ભણવાના મનોરથ પ્રસિદ્ધ નથી, II૬/૧૩ll ભાવાર્થ ઠાણાંગસૂત્રમાં વિગઈમાં પ્રતિબદ્ધ=ધૃતાદિ વિગઈમાં વૃદ્ધ, હોય એટલે યોગવહેતો નથી એવા સાધુને સૂત્રની વાચના આપવાનો નિષેધ કર્યો છે. તેથી અર્થથી એ ફલિત થાય કે ગૃહસ્થ સૂત્રની વાચનાના અધિકારી નથી; કેમ કે ગૃહસ્થો શાતાના અર્થી છે માટે જ સર્વથા પાપવ્યાપારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરતા નથી અને જેઓ શાતાના ભોગના અર્થી છે તેઓ વિગઈમાં પ્રતિબદ્ધ જ છે. આવા ગૃહસ્થો ક્વચિત્ બાહ્યથી વિગઈઓનો ત્યાગ કરતા હોય તોપણ દેહ સંબંધી ભોગાદિના અર્થી એવા તેઓ વાચનાના અધિકારી નથી. વળી શ્રુત ભણવાનો મનોરથ પણ શ્રાવકને સુપ્રસિદ્ધ નથી, પણ સાધુને આશ્રયીને સુપ્રસિદ્ધ છે. આથી જ સાધુ ત્રણ સ્થાનોથી મહાનિર્જરા કરે છે તે ત્રણ સ્થાનોમાંથી એક સ્થાનમાં સાધુ વિચારે છે કે “ક્યારે હું મારી શક્તિ અનુસાર અલ્પ કે ઘણું શ્રુત ભણીશ ?” તે પ્રકારના મનોરથ કરી ઘણી નિર્જરા કરે છે. શ્રાવક સંયમ લેવાના મનોરથો કરે છે પણ શ્રુત ભણવાના મનોરથો કરતા નથી, કેમ કે શ્રાવક આગમરૂપ શ્રુત ભણવાના અધિકારી છે. જો તેઓ આગમરૂપ શ્રુત ભણવાના અધિકારી હોય તો તેઓ પણ સાધુની જેમ તે પ્રકારના મનોરથો કરી ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે. II૬/૧૩ અવતરણિકા : હવે, નિશીથસૂત્રના વચનથી શ્રાવકને આગમ ભણવાનો નિષેધ છે, તે બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy