SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા: ૧૪-૧૫ ગાથા : વાચના દેતાં રે ગૃહિને સાધુને, પાયચ્છિત્ત ચઉમાસ; કહ્યું નિશીથે રે તો શું એવડી, કરવી હુંશ નિરાશ ? સમકિતo ૧૪ ગાથાર્થ : ગૃહસ્થને વાચના દેતા એવા સાધુને ચારમાસનું પ્રાયશ્ચિત્ત નિશીથસૂત્રમાં કહ્યું છે. તો તેવી નિરાશ સૂત્રો ભણવાની એવી ખોટી હોંશ, શું કરવી ? અર્થાત્ ગૃહસ્થોએ સૂત્ર ભણવાની હોંશ કરવી જોઈએ નહીં. II૬/૧૪ll ભાવાર્થ| નિશીથસૂત્રમાં કહ્યું છે કે જે સાધુ ગૃહસ્થને આગમની વાચના આપે છે અર્થાત્ આગમનાં સૂત્રો આપે છે તે સાધુને ચારમાસનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. તેથી અર્થથી એ ફલિત થાય છે કે ગૃહસ્થ આગમ ભણવાના અધિકારી નથી. છતાં ખોટી એવી આગમ ભણવાની હોંશ કેમ કરવી જોઈએ ? અર્થાત્ કરવી જોઈએ નહીં; કેમ કે તેમ કરવાથી ભગવાનના વચનનો અનાદર થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાત્વને સ્થિર કરી આગમ ભણવાથી કલ્યાણની નહીં પરંતુ અકલ્યાણની જ પ્રાપ્તિ થાય. માટે ગૃહસ્થ આગમ ભણવાના અધિકારી નથી એમ જ માનવું જોઈએ. li૬/૧૪ll અવતરણિકા : ગાથા-૧માં કહ્યું કે જેઓ ભગવાનની આજ્ઞા માને છે તેઓમાં સાચું સમ્યકત્વ છે અને ભગવાનની આજ્ઞા માને તેઓ યોગોવહન કરી સૂત્રો વાંચે. તેથી ત્યારપછીની ગાથાઓમાં સાધુને યોગોદ્ધહનપૂર્વક સૂત્ર વાંચવાનો અધિકાર છે તેની ગ્રંથકારશ્રીએ અત્યારસુધી સ્પષ્ટતા કરી. વળી, ગાથા૧માં કહેલ કે જે પંચાંગીને પ્રમાણ માને તે ભગવાનની આજ્ઞા માને છે તેથી હવે આગમવચનથી પંચાંગીને પ્રમાણ સ્વીકારવાની યુક્તિ આપે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy