SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૨-૧૩ ગાથા : સૂત્રે દીધું રે સત્ય તે સાધુને, સુરનારને વલી અત્ય; સંવરદ્વારે રે બીજે ઈમ કહ્યું, અંગ દશમે સમરત્વ. સમકિત ૧૨ ગાથાર્થ : ભગવાને સત્યવચનને કહેનારું સૂત્ર સાધુને આપ્યું છે અને દેવમનુષ્યને તેનો અર્થ આપ્યો છે. અર્થાત્ સૂત્ર આપ્યું નથી પરંતુ અર્થ આપ્યો છે તે પ્રમાણે પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. II૬/૧૨ા ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગમાં દસ પ્રકારનાં સત્યોનું વર્ણન કહ્યું છે અને તે સત્ય સૂત્રથી સાધુને આપ્યું છે. શ્રાવકને નહીં. વળી દેવતાઓ અને મનુષ્યો જે ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધાવાળા છે તેમને અર્થથી તે દસ પ્રકારનાં સત્યોનું સ્વરૂપ બતાવ્યું છે. આ કથન દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય છે કે સાધુ સૂત્ર અને અર્થના બળથી દસ પ્રકારના સત્યના પરમાર્થને જાણીને વચનગુપ્તિ અને ભાષાસમિતિને પ્રાપ્ત કરી સંવરભાવને પામે છે અને શ્રાવકો અને દેવતાઓ તે શાસ્ત્ર વચનના અર્થને સાંભળી સ્વભૂમિકા અનુસાર સંવરભાવને પામે છે. પરંતુ શ્રાવકો સાધુની જેમ સૂત્ર અને અર્થના અવલંબનથી સંવરભાવને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી પણ ફલિત થાય છે કે શ્રાવક સૂત્ર ભણવાના અધિકારી નથી માટે અધિકારી એવા સાધુએ અત્યંત સંવરપૂર્વક અને યોગોદ્વહનપૂર્વક આગમ ભણવાં જોઈએ અને અધિકારી એવા શ્રાવકો સૂત્રો ભણે તો સૂત્રની આશાતનાને કારણે સમકિત રહે નહિ. I/૬/૧રના અવતરણિકા: હવે શ્રાવકને સૂત્ર ભણવાનો નિષેધ છે તે ઠાણાંગસૂત્રના વચનથી સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy