SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ / ગાથા : ૧૧-૧૨ ગાથાર્થ : ઉત્તરાધ્યયનસૂત્રમાં ચંપાનગરીના પાલિત નામના શ્રાવકને જે “કોવિદ' કહ્યો છે તે પ્રવચનના નિગ્રંથ વચન થકી કહ્યો છે અને તે શ્રાવક અર્થના વિવેકને કારણે અકંપ છે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો છે, પરંતુ સૂત્રના અધ્યયનથી અકંપ નથી. II૬/૧૧ ભાવાર્થ ચંપાનગરીનો પાલિત નામનો શ્રાવક જે ભગવાનનાં શાસ્ત્રોના મર્મને જાણનાર હતો માટે તેને ઉત્તરાધ્યયનસૂત્રમાં કોવિદ=પંડિત, કહ્યો છે. આ રીતે શ્રાવકને યોગોદ્વહનની વિધિ નથી છતાં પણ આગમ ભણવાના અધિકારી છે તેમ કહીને સ્થાનકવાસીઓ યોગોદ્વહન વગર શાસ્ત્ર ભણવામાં બાધ નથી તેમ સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે પાલિત નામનો શ્રાવક નિગ્રંથ પ્રવચનનાં વચન સાંભળી કોવિદ થયેલો છે અને નિગ્રંથ પ્રવચનના વચનના અર્થના વિવેકને કારણે ભગવાનના વચનમાં નિષ્ઠપ થયેલ છે, પણ આચારાંગસૂત્ર આદિ આગમસૂત્રો ભણીને કોવિદ થયેલ નથી. આમ શ્રાવક આગમ ભણવાના અધિકારી નથી. આનાથી અર્થથી એ ફલિત થાય કે સાધુ આગમ ભણીને કોવિદ થાય છે અને સૂત્ર-અર્થના ભાવનથી નિષ્કપ થાય છે. જ્યારે શ્રાવકો તો સૂત્ર ભણવાના અધિકારી નથી તેથી ગીતાર્થો પાસેથી પ્રવચનનાં વચનો સાંભળી સાંભળી તેના અર્થના વિવેકથી આત્મકલ્યાણમાં નિષ્કપ પ્રવૃત્તિ કરે છે. જ્યારે સુસાધુ તો આચારાંગ વગેરે સૂત્રો અને તેના અર્થોના ભાવનથી તે શ્રાવકો કરતાં ઘણી અધિક નિષ્કપ પ્રવૃત્તિ કરી શકે છે. માટે જ શ્રાવકો પણ ગૃહસ્થજીવનમાં સૂત્રરૂપી દીવો નથી તેમ જાણી શક્તિસંચય થાય તો સૂત્રરૂપ દીવાની પ્રાપ્તિ અર્થે સંયમ ગ્રહણ કરે છે એમ ગાથા-૯ સાથે સંબંધ જોડવો. I૬/૧૧/l અવતરણિકા : પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દશમા અંગના વચનથી પણ સાધુ જ સૂત્ર ભણવાના અધિકારી છે, ગૃહસ્થ નહીં તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy