SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧૦-૧૧ આચારાંગ આદિ સૂત્ર ભણેલા, કહ્યા નથી તે મોટો વિવેક છે અર્થાત્ શ્રાવક સૂત્ર ભણવાના અધિકારી નથી તેમ કહ્યું તે મોટો વિવેક છે. ||૬|૧૦|| ભાવાર્થ : ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં ભગવાનના શ્રાવકોનું વર્ણન છે. તેમાં વીરપ્રભુના જે મહાશ્રાવકોના પ્રસંગો છે તે શ્રાવકો પ્રાયઃ સર્વ લબ્ધાર્થ= ગૃહીતાર્થવાળા છે. તોપણ આચારાંગ આદિ આગમસૂત્રો ભણીને તેના ભાવનથી સંવરવાળા થયા નથી તેમ બતાવ્યું છે. અને કહ્યું છે કે અનેક શ્રાવકો આચારાંગ આદિ સૂત્રોને ભણ્યા વિના સંવરભાવને પામેલા છે પણ તેમ કહ્યું નથી કે તેઓ આચારાંગ આદિ સૂત્રોને ધારણ કરનારા છે. આ રીતનું કથન તે શાસ્ત્રનો મોટો વિવેક છે; કેમ કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા સાધુ જ યોગોહનપૂર્વક આચારાંગ આદિ સૂત્રો ભણવાના અધિકારી છે, અન્ય નહિ. આમ છતાં ભગવાનના વચનથી ભાવિત મતિવાળા તે શ્રાવકો આગમો ભણ્યા વિના ભગવાનના વચનથી પ્રાપ્ત થયેલા અર્થોના બળથી સંવરભાવને પામે છે. તેથી પણ ફલિત થાય છે કે સંવરભાવની પ્રાપ્તિનું પ્રબળ કારણ એવા આચારાંગ આદિ સૂત્રો યોગોહનપૂર્વક ભણવાના અધિકારી સાધુ જ છે, અન્ય નહિ. માટે યોગોહન કર્યા વિના જે સૂત્રો ભણે છે અને અનધિકારી એવા જે સ્થાનકવાસી ગૃહસ્થો સૂત્રો ભણે છે તેમનામાં ભગવાનના વચનની સાચી શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ નથી તેમ પ્રથમ ગાથા સાથે સંબંધ જોડવો. II૬/૧૦/ અવતરણિકા : ૧૧૪ યોગોહન કર્યા વિના શ્રાવક પણ આગમ ભણવાના અધિકારી છે તેમ સ્થાપન કરવા માટે સ્થાનકવાસી ઉત્તરાધ્યયનસૂત્રનું વચન કહે છે તે બતાવીને ગ્રંથકારશ્રી તેના તાત્પર્યને સ્પષ્ટ કરે છે 21121 : ઉત્તરાધ્યયને રે કોવિદ જે કહ્યો, શ્રાવક પાલિત ચંપ; તે પ્રવચન નિગ્રંથ વચન થકી, અરથ વિવેક અકમ્પ. Jain Education International For Personal & Private Use Only સમકિત૦ ૧૧ www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy