SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ તેઓએ આવી ખૂબ તપાસ કરી, પણ સીતા ન જડ્યાં. તેમણે ધાર્યું કે નક્કી જંગલી પ્રાણીઓએ સીતાજીને ફાડી ખાધાં હશે. વખત જતાં વાર લાગતી નથી. થોડી વારમાં તો આ પુત્રો મોટા થયા. લવ જ્યારે યુવાન થયો ત્યારે રાજા વજસંઘે તેને પોતાની પુત્રી પરણાવી. - એક વખત વાત નીકળતાં વજસંઘ સાથે અયોધ્યાની વાત નીકળી. રામ-લક્ષ્મણનાં પરાક્રમની વાતો થઈ. આથી લવ ને કુશને થયું કે તે કેવા પરાક્રમી છે તે આપણે જોવું. લવ ને કુશ ફોજ લઈ અયોધ્યા આવ્યા. લક્ષ્મણ વિચાર કરવા લાગ્યા કે વળી આ પતંગિયાં કોણ જાતે અગ્નિમાં પડીને બળી મરવા આવ્યાં? યુદ્ધનાં વાજાં વાગ્યાં. લડાઈ શરૂ થઈ. છેવટે પરિણામ એ આવ્યું કે રામ-લક્ષ્મણ હાર્યા. રામલક્ષ્મણના ખેદનો પાર રહ્યો નહિ. એ વખતે નારદજીએ આવીને કહ્યું: “હે રામ ! રાજી થવાને બદલે ખેદ કેમ પામો છો ? જેના પુત્રો પિતાથી સવાયા થાય તેમણે શોક કરવો ઘટે કે આનંદ! પછી તેમણે સીતાના વનવાસ જીવનથી આજ સુધીની વાત કહી. રામ તો ઘેલા ઘેલા થઈ ગયા. પુત્રો પણ અવસર જોઈ તેમની સામે ગયા ને એકબીજાને ભેટી પડ્યા. આ વખતે આનંદનો શું અવધિ રહે !” સીતાજી ! હવે આપ પધારી અયોધ્યાને પાવન કરો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy