SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી સીતા ૧૫ .. .. . . . .. વિચાર કરી સીતાને વનમાં મોકલવા નિશ્ચય કર્યો. લક્ષ્મણ તથા બીજા સ્નેહીઓએ રામને એમ ન કરવા ઘણા ઘણા વીનવ્યા, પણ રામ એકના બે ન થયા. સીતા ગર્ભવતી હતાં. તેમને યાત્રાને બહાને વનમાં મોકલ્યાં. જ્યારે સીતાને ખબર પડી કે રામે તેમનો ત્યાગ કર્યો છે, ત્યારે તે બેભાન થઈ ગયાં. જ્યારે ભાનમાં આવ્યાં ત્યારે વિચાર કરવા લાગ્યાં : “એમણે મારા માટે રાક્ષસકુળનો નાશ કર્યો ને આટઆટલાં દુઃખો વેઠ્યાં. તેમણે કંઈક મહાન હેતુ સિદ્ધ કરવા જ મારો ત્યાગ કર્યો હશે. હે રામ ! તમારો યશ નિર્મળ રહો !' સીતા હવે જંગલમાં આમતેમ ભમવા લાગ્યાં. સીતાજી જ્યારે જંગલમાં ફરતાં હતાં ત્યારે વજસંઘ નામનો રાજા ત્યાં આવ્યો ને સીતાને પોતાની બહેન ગણીને પોતાને ગામ લઈ ગયો. ત્યાં રહેવાને એકાંત ઓરડો કાઢી આપ્યો. ત્યાં સીતા રહેવા લાગ્યાં ને રામચંદ્રજીનાં ચરણ આલેખી તેમનું ધ્યાન ધરવા લાગ્યાં. વખત વીતતાં તેમને જોડકા પુત્ર અવતર્યા. એમાં એકનું નામ રાખ્યું અનંગ લવણ ને બીજાનું નામ રાખ્યું મદનાંકુશ. કેટલાક તેમને લવણ અને અંકુશ જ કહેતા તો કેટલાક લવ ને કુશ પણ કહેતા. રામે જ્યારે સીતાજીની બધી હકીકત સાંભળી ત્યારે તેમનાથી ન રહેવાયું. સીતાને લઈ આવવા માણસો મોકલ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy