SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૫ ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું આ પતરાને હાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાબી બાજુના કાંઠાને ફક્ત થોડો ભાગ જ રહ્યો છે. કડી માટેનાં બે કાણુંઓનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પંક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હોય છે તે નાશ પામી છે. તે મોટું નુકશાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૫” x ૮ છે. અક્ષરે બહુ સંભાળપૂર્વક કેતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ સ્થિતિ ને લીધે, આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી. દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચેકસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળે પ્રસ્તાવનાને ઘણે ખરે ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈલકાબ મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફક્ત પરમારનું ધાર્મિક વિષેશણ લગાડેલું છે. આ દાન વલભીના સ્વર માં દુહાએ બંધાવેલા બૌદ્ધ વિહારને આપેલું જણાય છે. કાશદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુઓનાં પિષણાર્થે આપ્યું હતું. દતક તથા લેખકનાં નામ સહિત બીજા બધી વિગત નાશ પામી છે. ધ્રુવસેન ૩ જાનું ફક્ત સં. ૩૩૪(એ. ઈ. ૧ પા. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણુ પાસે છે, સગત્ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં છે. ગેઝેટીઅર વો. ૧. ભાગ ૧ પા. ૯૨માં” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧( ગુ. સં. ૩૩૨)નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મોરબીના રાજાના તાબામાં હોવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેને પત્તો મેળવવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે. જ, બે. બ્રા. જે. એ. સે. ( ન્યુ. સી. ) . ૧ પા. ૩૫. ૬૪. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy