SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र १६१ ભાષાતર ૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધવાળા સર્વને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે – ૧૪–૧૬. મહારાજ શ્રેણસિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપમાં ત્રાંબાપત્ર પર લખી ત્રિસમકને સ્વતલમાં સ્થાપિત કેદ્રુમહિકાદેવી અર્થે ગુદાદાન (?) અને ત્રિસમકનાં સરવર કર્યા. અને સમય વીતે (તે દાનના ઉપભોગ)ને પ્રતિબંધ થયો હતો. આ (દાન) માં અમારાથી ગધે, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મંદિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર (સમારકામ ) માટે અને તેના પૂજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે. ૧૬-૧૭ અને ત્રિસમકના રવતલના સંચય( ખજાના )માંથી પ્રતિદિન એક રૂપાને સિક્કો નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થે દેવાને છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેઈએ પ્રતિબંધ કરે નહિ. ૧૭-૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષમી અસ્થિર છે, અને દાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું. ૧૯ર૦. અને નીચે પ્રમાણે કહ્યું છે – સગરથી માંડી ઘણા નૃપએ પૃથ્વીને ઉપભોગ કર્યો છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપેએ આ જગમાં સત્પાત્રોમાં દીધેલી લક્ષમી જે ઉપગ થએલી માળા સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે? ૨૧ ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર પરગ્રહ છે. ૨૨ સંધિવિગ્રહિક અને દિવિરપતિ કત્રભટ્ટિના પુત્ર દિવિરપતિ સ્કન્દ ભટથી આ લખાયું છે. સં. ૩૨૦ (ઈ. સ. ૫૦૨-૩ ) અષાઢ શુ. ૧૦ મારા સ્વહસ્ત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy