SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૦ર વલભી દાનપત્રનું ગેપનાથમાંથી મળેલું પહેલું પતરું પહેલું પતરું ફેસર બ્યુહરને કાઠિવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી, નીચે આપેલું અધૂરું વલભી દાનપત્ર મે પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગેપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪”x૧૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓના બન્ને છેડાના અક્ષરે ડેક અંશે નાશ પામ્યા છે. દાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્ર માફક આ દાનપત્રમાં પણ પ્રથમ બે પતરાઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીજું પતરું તે સાથે જોડેલું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થો છે. સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલાં અન્ય વલભી દાનપત્રનાં પહેલાં પતરાંએ સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચોક્કસ કરી શકાશે. આપણે પહેલા પતરામાં, ગુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૩ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પક્તિ ખેવાયેલ પતરાં ઉપર હોવી જોઈએ. દેરભરના એક પુત્રનું આ દાનપત્ર હોઈ શકે નહીં, કારણ કે વલભી સંવત્ ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વંશાવળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકો મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રોનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રનાં પહેલાં પતરાંઓ પણ બરોબર આપણું પડેલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬૩ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે. લિપિ ધ્રુવસેન ૨ જા અને ધરસેન જ થાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રની લિપિને પૂરેપૂરી મળતી આવે છે. ઈ. એ. જે. ૧ર પા, ૧૪૮ ઈ. હુલ્થ. ૧ છે, બ્યુલહેરે પ્રસિદ્ધ કરેલું છે, જુઓ ઈ. એ. વ. ૭ ૫. ૭૬. ૨ પ્રો. બ્યુલહરે પ્રસિદ્ધ કર્યા છે. જુઓ, ઈ. એ. કે. ૬ પા--૧ર અને વ. ૭ પા. ૭૩. ૩ છે. ભાડારકરે પ્રસિદ્ધ કરેલું છે. જી. ઈ. એ. વ. ૧ પા. ૧૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy