SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૫૪ શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્ય ]ના સંવત ૨૮૬ ના એક દાનપત્રનું બીજું પતરું સંવત્ ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરૂં મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પિડાં બાઝેલાં હતાં, અને બહુ ઘેડા અક્ષરે વાંચી શકાતા હતા. પરંતુ આર્કલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય હાનાં કાણાંઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કોર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે. પતરાંઓ આશરે ૧૦૩૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષર પ્રમાણમાં મેટા કદના છે, અને ચેખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલે ઓછી છે. વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હતું નથી. પરંતુ સંવત ૨૮૬ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધર્માદિત્ય, છે. તેનાં તે જ વર્ષનાં ત્રણ દાને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. આ દાન લેનાર વશકટમાં આવેલે બૌદ્ધ મઠ છે, આ મઠ, તે જ રાજાના (નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિત્ય ૧ એ પિતે જ બંધાવ્યા હતા. દુર્ભાગ્યે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન એવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(?) પથકમાં આવી હશે, એવું જણાય છે. તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપત્રો પ્રમાણે આને દતક પણ ભટ્ટ આદિત્યયમ્ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રોને લેખક સંધિવિગ્રહધિકૃત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હૈ જોઈએ. . ૧ જર્નલ. છે. બ્રા રે. એ. સે. ન્યુ. સી. વ. ૧ પા. ૨૬ ડી. બી. દિસ્કલકર ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy