SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ ૬૯ એ લેખાના પદ્યભાગ સામેશ્વરની રચના છે.૧૭ સામેશ્વરકૃત ‘ વૈદ્યનાથપ્રશસ્તિ ’ જેમાં ડભોઈમાં રાજા વીસલદેવે સમરાવેલા વૈદ્યનાથ મહાદેવના મન્દિરની પ્રશસ્તિ છે,૧૮ તેમાં સં. ૧૩૧૧ ( ઈ. સ. ૧૨૫૫ )નું વર્ષ છે, જે બતાવે છે કે વસ્તુપાળના અવસાન પછી સામેશ્વર એછામાં ઓછું ૧૬ વર્ષ સુધી વ્યા હતા. ‘ વૈદ્યનાથપ્રશસ્તિ' એ એની છેલ્લી રચના હેાય એમ જણાય છે. ખીજી એક પ્રશસ્તિ સામેશ્વરે રચી હતી, પણ તેના કઈ પત્તો અત્યારે લાગતા નથી. રાણા વીરધવલે ધેાળકામાં બધાવેલા વીરનારાયણુપ્રાસાદની એ પ્રશસ્તિ હતી. એમાં ૧૦૮ પદ્ય હતાં.૧૯ પ્રાસાદના નામ ઉપરથી અનુમાન થાય છે કે નારાયણ અથવા વિષ્ણુનું એ મન્દિર હશે. વર્તમાન ધાળકામાં આ મન્દિરના તેમજ વીરધવલ કે વસ્તુપાળનાં ખીન્ત કાઈ ખાંધકામના અવશેષ જણાતા નથી. વિવિધ વિષયેા પરત્વેની સામેશ્વરની રચનાએ ઉપરથી તે એક ઉદાર–દષ્ટિવાળા પુરુષ જણાય છે. તે એક આરૂઢ શૈવ અને શાક્ત તથા વેદવિદ્યામાં નિષ્ણાત હતા, છતાં રામભક્તિ પ્રદર્શિત કરતાં નાટકો તેણે રચ્યાં છે, એટલું જ નહિ, જૈન મન્દિરાની પ્રશસ્તિ પણ લખી છે. કાવ્યપ્રકાશની ટીકા ‘ કાવ્યાદેશ 'ના કર્તાથી આ સામેશ્વર ભિન્ન છે ૭૪, મમ્મટના ‘ કાવ્યપ્રકાશ ’ ઉપર ‘ કાવ્યાદર્શ ' નામે ટીકા રચનાર સામેશ્વરને કેટલાક વિદ્વાનેએ આપણા સામેશ્વરથી અભિન્ન ગણવા પ્રયાસ કર્યો છે.૨૦ પરન્તુ ‘ કાવ્યાદર્શ ' ના કર્તા ભરદ્વાજ ગાત્રના દેવકના પુત્ર હતા૨૧ જ્યારે આપણા સામેશ્વર વશિષ્ઠ ગાત્રના કુમારના પુત્ર હતેા; આથી આ બન્નેની અભિન્નતા માનવી ચાગ્ય નથી. ૧૭. પ્રાલેસ, ન. ૩૮-૧ અને ૪૦-૬; ગુઍલે, ન. ૨૦૭ અને ૨૦૯; પ્રાર્લમા, ન. ૧૬૮ અને ૧૭૦ ૧૮. એઇ, પુ. ૧, પૃ. ૨૦ થી આગળ, ગુઍલે, ન. ૨૧૫ ૧૯. પ્રા, પૃ. ૫૯ ૨૦. પિટસન, રિપાર્ટ ૧, પૃ. ૮૪; કૅકે, પુ. ૧, પૃ. ૧૦૨ અને ૭૩૭, વળી જુએ સુઉં, પ્રસ્તાવના, પૃ. ૧૦. ૨૧. મદ્યાનોસંઘમટવેવસૂનના । सोमेश्वरेण रचितः काव्यादर्शः सुमेधसा || —જેભસૂ, પ્રસ્તાવના, પૃ. ૬૨ ટિપ્પણ આ ‘કાવ્યાદર્શ ’ ની જેસલમેર ભંડારમાંની તાડપત્રીય પ્રત સ. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ની છે (જુએ એ જ, પૃ. ૪૩) એટલે એના કર્તા ભરદ્વાજગોત્રીચ સેામેશ્વર ઈ. સ. ના બારમા સૈકામાં અથવા ત્યાર પહેલાં થયા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy