SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ ૬૫ હતા તથા સેકડા તળાવા ખાદાવ્યાં હતાં. કુમારના પુત્ર સર્વ દેવ મનુસ્મૃતિમાં પ્રવીણ હતા. પાતાના પૂર્વજોની પર ંપરાને અનુસરીને તેણે યજ્ઞા કર્યા હતા અને દાન આપ્યાં હતાં, પણ દાન લેવાને પેાતાના હાથ કદી લાંખા કર્યાં નહાતા. સદેવના પુત્ર આમિગ વેદના જ્ઞાતા હતા. સત્કર્મીમાં રત એવા તેને એ જ વસ્તુથી લજ્જા થતી હતી : એકતા ઉત્તમ પુરુષાથી થતી પેાતાની પ્રશંસા સાંભળવાથી અને ખીજુ આ સંસારકારાગારમાં રહેવાથી. બ્રહ્માના ચાર વેદની જેમ એને ચાર પુત્રા હતા. સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ એવા સર્વ દેવ એમાં જ્યેષ્ઠ હતા. ખીજા ત્રણ પુત્રાનાં નામ કુમાર, મુંજ અને આહુડ એ પ્રમાણે હતાં. સર્વદેવે રાજા કુમારપાળનાં અસ્થિ ગંગામાં પધરાવ્યાં હતાં તથા ગયા અને પ્રયાગના વિાને દાન વડે કૃતાર્થ કર્યાં હતા. તેણે સ્થાને સ્થાને તળાવ કરાવ્યાં હતાં, પ્રતિદિન તે શિવપૂજા કરતા હતા, પ્રત્યેક બ્રાહ્મણના તે સત્કાર કરતા હતા, અને એની પ્રશંસા ઘેર ઘેર થતી હતી. એના ભાઈ કુમાર લાભમુક્ત હતા. એક વાર સૂર્યગ્રહણસમયે રાજાએ—જે કુમારપાળના પુત્ર હતા—૬ ધણા આગ્રહ કર્યા છતાં એને રત્નરાશિ કુમારે ગ્રહણ કર્યા નહાતા. રાજા અજયપાળને યુદ્ધમાં વાગેલા ધા તેણે કટુકેશ્વર મહાદેવની આરાધના કરીને રૂઝવ્યા હતા. એક વાર દુષ્કાળના સમયમાં જ્યારે લોકા સુકાઈ ને હાડપિંજર જેવાં થઈ ગયાં હતાં ત્યારે એણે રાજા મૂળરાજ ખીજા પાસે વેરા માફ કરાવ્યા હતા. રાષ્ટ્રકૂટ વશના પ્રતાપમલ્લે તેને પોતાના સર્વ મંત્રીઓમાં મુખ્ય બનાવ્યા હતા. એક વાર ચૌલુક્ય રાજાએ કુમારને પોતાના સેનાપતિ બનાવ્યા હતા અને કુમારે પણ શત્રુઓને પરાજય કરીને પેાતાની પસંદગી યાગ્ય ઠરાવી હતી. એક વાર કુમારે ધારાના રાજા યશેાવર્માના પુત્ર વિન્ધ્ય સાથે યુદ્ધ કરીને નસાડી મૂક્યા હતા, એટલું જ નહિ, પણુ ગાગરસ્થાન નામના એક નગરના નાશ કરીને મહેલના સ્થળે કૂવા ખાદાવ્યા હતા. માલવેશ્વરના દેશમાંથી તેણે ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું, અને ગયાશ્રાદ્ધ સમયે તેણે બ્રાહ્મણાને એ દાનમાં આપ્યું હતું. મ્લેચ્છપતિના અતુલ સૈન્યને તેણે રાનીસર નામે થાન આગળ પરાજિત કર્યું હતું, અને ગંગાના જળ વડે શ્રાવિધિ કરીને પિતૃઓને તૃપ્ત કર્યા હતા. બ્રાહ્મણાનાં ષટ્કમાં તે કરતા હતા તથા મમુવઃ સ્વઃ એ પવિત્ર અક્ષરાના જાપ કરતા હતેા. ૬. કુમારપાળને પુત્ર નહેાતા, એટલે પુત્રને અ ( ઘુમારપારણ્ય ભુતેન રાજ્ઞા, શ્લાક ૩૧ ) અહીં તેને ‘વારસ-ઉત્તરાધિકારી' એવા કરવા જોઈ એ. આવેા અ કરવાનું યોગ્ય છે, કેમકે આ પછીના જ બ્લેક ( શ્લા. ૩૨ )માં કુમારપાળના ઉત્તરાધિકારી અજચપાળને નામ દઈને ઉલ્લેખ કરેલા છે. E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy