SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ વિભાગ ૨ માં ત્રણ જ્ઞાનભંડાર અથવા પુસ્તકાલયેા સ્થાપ્યાં હતાં.૧૩ એનું અંગત પુસ્તકાલય ધણું સમૃદ્ધ હતું, અને બધા મહત્ત્વના શાસ્ત્રગ્રન્થાની એક કરતાં વધુ નકલા એમાં હતી.૧૪ કવિએ અને વિદ્વાના પ્રત્યે તે બહુ ઉદાર હતા. એને વિશે નોંધાયું છે કે ભાજ અને વિક્રમાદિત્યની જેમ તેણે એક લેાક કે શ્લોકાને માટે કવિએને હજારાનાં દાન આપ્યાં હતાં. કવિતાના એણે કરેલા સત્કારનાં અને કવિઓને આપેલા ઉત્તેજનનાં લાંબાં અને વિગતભરપૂર વન • પ્રશ્નન્વકાશ ’ 6 વરતુપાલચરિત ’‘ પુરાતનપ્રબંધસંગ્રહ ' અને ‘ ઉપદેશતર’ગિણી' જેવા ગ્રન્થામાં મળે છે. કવિએ પ્રત્યેની ઉદારતાને કારણે એ ‘ લઘુભાજરાજ ' કહેવાતા હતા. એટલા બધા કવિઓજેમાંના કેટલાકનાં નામ જાણવામાં આવ્યાં છે અને કેટલાકનાં અજ્ઞાત છે તેઓ–ને વસ્તુપાળની ઉદારતાના લાભ મળ્યા હતા કે સામેશ્વરે નીચેના શબ્દામાં એમની ઉદારતા ક્ષેાકબદ્ધ કરી છે— 3 सूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । विसृत्रे तु कृता तेषां वस्तुपालेन मन्त्रिणा ||१५ • પૂર્વ ધીમાન દુર્ગાસિંહે ( ‘ કાતન્ત્ર વ્યાકરણ ’)નાં સૂત્રેા ઉપર વૃત્તિ (અથવા ટીકા) કરી, પણ વસ્તુપાળ મત્રીએ કાઈ સૂત્ર વિના જ એમને (કવિઓને) વૃત્તિ (આજિવિકા) કરી આપી. ’ કવિઓને આશ્રય આપતાં તથા વિદ્યોત્તેજન માટે દાન આપતાં કદી પણ વસ્તુપાળે જૈન અજૈન વચ્ચે ભેદ પાડયો નહાતા. પ્રભાસના શૈવ તી ને તેણે દશ હજાર સ્મનું દાન આપ્યું હતું, ૧૬ તથા કવિત્વશક્તિવાળા ૧૩. એ જ, પૃ. ૧૨૯; પુપ્રસ', પૃ. ૬૫; વિતીક, પૃ. ૮૦. જ્ઞાનભ’ડાર અથવા જૈન પુસ્તકાલયાની સંસ્થા ગુજરાતમાં શ્રેણી તૃની જણાય છે. દેવર્ધિગણના અધ્યક્ષપણા નીચે જ્યારે જૈન શ્રુત લેખાધિરૂઢ થયું ત્યારે એ કાઈ પુસ્તકાલયમાં મુકાયું હશે (પૅરા ૭). કુમારપાળે ૨૧ જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા એમ કહેવાય છે ( ‘ કુમારપાલપ્રબન્ધ', પૃ. ૯૬-૯૭). આ ભંડારામાંની હસ્તપ્રતા અત્યાર સુધી સચવાઈ નથી. સંભવતઃ મુસ્લિમેાને હાથે એએના નારા થયા હશે. સ. ૧૨૮૪-ઈ. સ. ૧૨૨૮ માં લખાયેલી ‘ જીતકલ્પ-ચૂર્ણિ વ્યાખ્યા ’ની એક તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં છે ( પાભસૂ, પૃ. ૪૦૦); એની પુષ્પિકામાં વસ્તુપાળની પ્રશસ્તિના કેટલાક શ્લોકા છે. વસ્તુપાળે સ્થાપેલા ભંડારાનાં પુસ્તકાના એ એક વિરલ અવશેષ હોય એમ લાગે છે ( જુએ પરા ૨૨૦ ), ૧૪. ૨, ૭-૧૧૩ ૧૫. પ્રકા, ૧૧૨; વચ, ૪-૪૪૩ ૧૬. ઉત, પૃ. ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy