SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્યને કલાને આશ્રયદાતાને સાહિત્યકાર[પ૧ એ સંખ્યા ઘણી વધી ગયેલી જોઈએ છીએ, અને કેટલીક વિગતો કેવળ અતિશયોતિ સ્વરૂપની લાગે છે, પરંતુ સમકાલીનેએ આપેલી માત્ર નક્કર હકીકત તરફ દૃષ્ટિ કરીએ તો પણ ગુજરાતના અને કદાચ ભારતના સૌથી મેટા દાનેશ્વરીઓમાં વસ્તુપાળનું સ્થાન છે એ વિશે શંકા રહેતી નથી. ૫૯વસ્તુપાળ-તેજપાળે મન્દિરો આદિ સ્થાપત્યો પાછળ ભારે દ્રવ્ય ખર્યું હતું; આ દ્રવ્ય કક્યાંથી આવ્યું હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે. તેઓ એક ઉચ્ચ કુટુંબના પુત્ર હતા, જેમાં વંશપરંપરાથી મંત્રિપદ ચાલ્યું આવતું હતું, એટલે તેમની આર્થિક સ્થિતિ સારી જ હશે. પરંતુ અકય સમૃદ્ધિ તેમની પાસે શી રીતે આવી એ વિશે પ્રબોમાં કેટલીક વાત આપેલી છે. આ વાત આમ તો દંતકથાઓ જેવી લાગે છે, પણ એમાં કંઈક વાસ્તવિક અંશ રહેલો હોય એ સંભવિત છે. વસ્તુપાળ જ્યારે ખંભાતનો હાકેમ નિમાયે ત્યારે સઈદ અથવા દીક નામે એક સમૃદ્ધ મુસ્લિમ વેપારીએ તેનું આધિપત્ય માનવાને અસ્વીકાર કર્યો. વરતુપાળે જ્યારે એને શાસન કરવા પ્રયત્ન કર્યો ત્યારે લાટના રાજા શંખને તે પોતાની મદદે બોલાવી લાવ્યું. પરંતુ શંખને પરાજ્ય થયો, સઈદકેદ પકડાય અને એની મિલકત જપ્ત કરવામાં આવી. રાણા વરધવલને જ્યારે આની જાણ કરવામાં આવી ત્યારે તેણે હુકમ કર્યો કે સઈદની બધી મિલકત રાકેશમાં આવે, પણ એના ઘરની ધૂળ વસ્તુપાળને મળે. આ તે સોનાની ધૂળ હતી; વળી આગ લાગવાને પરિણામે સઈદનું કેટલુંક સોનુંરૂપું પણ ધૂળ ભેગું થઈ ગયું હતું. આમ સઈદની મિલકતને મોટો ભાગ વસ્તુપાળને મળ્યો. બીજે વૃત્તાન્ત એવો છે કે-એક વાર સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની યાત્રાએ જતાં વસ્તુપાળ અને તેજપાળ પિતાનું ધન દાટવાને હડાલક નામે ગામ (ધંધુકા પાસેનું હડાળા) આગળ ગયા. આ ધન એક લાખના આશરાનું હતું, પણ ત્યાં જમીન ખોદતાં એમને બીજું ઘણું વધારે ધન મળ્યું. તેજપાળની પત્ની અનુપમાને વસ્તુપાળે પૂછયું કે “આ ધનનું શું કરવું ?” અનુપમાએ ઉત્તર આપ્યું કે “આ ધનને પર્વતના શિખર ઉપર રાખવું, જેથી અત્યારે આપણે હાથ ચડયું એવી રીતે એ બીજાને હાથ જાય નહિ.” પછી વરતુપાળ અને તેજપાળે એ ધનને ગિરનાર અને આબુ ઉપરનાં પ્રસિદ્ધ મન્દિરે બાંધવામાં તથા શત્રુંજ્યની સંધયાત્રા કાઢવામાં વ્યય કર્યો. ૫. પુપ્રસં, પૃ. ૫૬ અને ૭૩ ૬. પ્રકે, પૃ. ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy