SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] વસ્તુપાળને કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૭ વાલિયા એ વ સામાન્ય રીતે પ્રમાણભૂત ગણવામાં આવતું હતું. પણ વસ્તુપાળના સમકાલીન બાલચન્દ્રે રચેલા ‘વસ’તવિલાસ' કાવ્યમાં વસ્તુપાળના મૃત્યુની તિથિ સં. ૧૨૯૬ ના માધ સુદ પાંચમ ને રવિવાર (ઈ. સ. ૧૨૪૦ ની ૧ લી જાન્યુઆરી) આપવામાં આવી છે.૪૬ એક તાડપત્રીય હસ્તપ્રતમાં વસ્તુપાળનું મૃત્યુવર્ષ સ. ૧૨૯૬ અને તેજપાળનું મૃત્યુ વર્ષ સ. ૧૩૦૪ (ઈ. સ. ૧૨૪૮) આપ્યું છે,૪૭ તેથી પણ ‘વસંતવિલાસ'ના કથનને ટંકા મળે છે. પ્રબન્ધા કહે છે કે વસ્તુપાળ શત્રુંજયની યાત્રાએ જતા હતા ત્યારે માર્ગમાં (વઢવાણથી અગ્નિ ખૂણે ૧૦ માઈલ દૂર આવેલા) ગામમાં અવસાન પામ્યા.૪૮ આ કથન કદાચ પ્રમાણભૂત હાય તાપણ સતવિલાસ'માં એવા કંઈ ઉલ્લેખ નથી.૪૯ ‘પ્રબન્ધકારા' (પૃ. ૧૨૫) અને ‘વિવિધતીર્થકલ્પ' (પૃ. ૮૦) વસ્તુપાળને મત્રિપદ ગુમાવવું પડયું અને તે નાગર મંત્રી નાગડને મળ્યું હતું, એવા ઉલ્લેખ કરે છે. અન્યત્ર એમ પણ કહેલું છે કે વસ્તુપાળ રાજા વીસલદેવના ભારે ક્રેાધને ભાગ થઈ પડયેા હતા, કેમકે વીસલદેવના એક મામા સિંહે એક જૈન સાધુનું અપમાન કર્યું હતું એની શિક્ષારૂપે વસ્તુપાળે એને હાથ કપાવી નાખ્યા હતા, પરન્તુ રાજપુરાહિત સામેશ્વરે મંત્રીને બચાવી લીધા હતા.૫ વળી એવી વાત પણ મળે છે કે એક વાર વીસલદેવે વસ્તુપાળ પાસે રાજ્યના મહેસૂલને હિસાબ માગ્યે અને એમાંની કેટલીક રકમ મન્દિરા વગેરે બાંધવામાં વપરાઈ છે ४६. वर्षे हर्षनिषण्णवण्णवतिके श्रीविक्रमोर्वीभूतः कालाद् द्वादशसंख्य हायनशतात् मासेऽत्र माघाह्वये । पञ्चम्यां च तिथौ दिनादिसमये वारे च भानोस्तवोद्वोढुं सद्गतिमस्ति लग्नममं तत्त्वर्यतां त्वर्यताम् ॥ ૪૭. એ જ, પ્રસ્તાવના, પૃ. ૮ ૪૮. ચિ, પૃ. ૧૦૫; પ્રકા, પૃ. ૧૨૮; વચ, ૮ ૪૯. આથી ઊલટું, વિવ તા એમ કહે છે કે વસ્તુપાળ રાત્રુંજય ઉપર ચડચે અને ત્યાં આદિનાથની સમક્ષ ધર્મની પુત્રી સતિ સાથે લગ્ન કર્યું, અર્થાત્ રાત્રુંજય ઉપર એનું અવસાન થયું (વિષે, ૧૪-૪૯, ૫૦). આ કેવળ રૂપક છે કે ખરેખર હકીકત છે એ આપણે ાણતા નથી. સસ્તંભવ છે કે રાત્રુજય જતાં માર્ગોમાં વસ્તુપાળનું અવસાન થયું હોય તેપણ આદિનાથ સમક્ષ લગ્નનું રૂપક કાવ્યષ્ટિએ સંપૂર્ણ બનાવવા માટે કવિએ એનું આ રીતે વર્ણન કર્યું હોય. ૫૦, પ્રકા, પૃ. ૧૨૬-૨૭; વ, ૨ Jain Education International ( વિવ, ૧૪-૩૭ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy