SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા ૧. ઈસવી સનના તેરમા સૈકામાં થઈ ગયેલ મહામાત્ય વસ્તુપાલ માત્ર ગુજરાતના ઈતિહાસમાં જ નહિ, પણ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં પણ બહુ નોંધપાત્ર વ્યક્તિ છે. વસ્તુપાલ તથા એના નાના ભાઈ તેજપાલ એ ધવલક(ધોળકા)ના વાઘેલા રાજા વિરધવલના-જે અણહિલવાડ પાટણના રાજા ચૌલુક્યરાજ ભીમદેવ બીજાનો માંડલિક હતો તેના–મંત્રીઓ હતા. વસ્તુપાલ એક નિપુણ રાજપુરુષ અને સેનાપતિ હતા તથા ગુજરાતના ઈતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં જન્મ્યો હતો. પણ વધારે ધ્યાનપાત્ર એ છે કે વસ્તુપાલ વિદ્યા અને સાહિત્યને મહાન આશ્રયદાતા અને દાનેશ્વરી હતો. વળી પિતાને સમયને તે એક સુપ્રસિદ્ધ ધાર્મિક પુરુષ હતો. આબુ અને ગિરનાર ઉપરનાં મન્દિર જેવી ઇમારતો બંધાવીને તે એક કલાપ્રેમી તરીકે પણ વિખ્યાત થયો છે. વળી સંસ્કૃત ભાષાને તે એક ગણનાપાત્ર કવિ હતું અને તેણે રચેલ એક મહાકાવ્ય તથા કેટલાંક સ્તોત્રો જાણવામાં છે. આ સર્વને પરિણામે કવિઓ અને પંડિતોનું એક તેજવી મંડળ એની આસપાસ એકત્ર થયું હતું, જેણે સંરકત સાહિત્યની વિવિધ શાખાઓમાં વિશિષ્ટ ફળ આપે છે. સંરકત સાહિત્યના સુદીર્ધ અને વૈવિધ્યભર્યા ઇતિહાસમાં વસ્તુપાલ જેવી બીજી કોઈ વ્યક્તિ ભાગ્યે જ હશે કે જેને વિશે સમકાલીનેએ આટલું બધું લખ્યું છે, અને વળી જે આજ સુધી સચવાયું છે. પરતુપાલનાં જીવન અને કાર્ય, ખાસ કરીને સરકૃતિક અને સાહિત્યિક દષ્ટિએ, બનતી વિગતે ચર્ચવાને તથા એની આસપાસ એકત્ર થયેલા કવિપંડિતોના તેજસ્વી મંડળ વિશે ઐતિહાસિક પુરાવા રજૂ કરવાનો આ ગ્રન્થનો ઉદ્દેશ છે. વળી વસ્તુપાલ તથા એના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓને કેવી રીતે સમૃદ્ધ કરી છે એ બતાવવાને પણ આને આશય છે. ૨. વસ્તુપાલ અને એના સાહિત્યમંડળના કાર્યને યોગ્ય રીતે મૂલવવા માટે એના સમયની સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા સમજવી જરૂરી છે. આ માટે વસ્તુપાલના સમય પૂર્વની ગુજરાતની સાહિત્ય અને વિદ્યાની પરંપરાઓનું ટ્રક અવલોકન અહીં ઉચિત ગણાશે. ઠેઠ વલભીના મિત્રક રાજાઓના સમયથી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કરવા માટે ગુજરાતે શું કર્યું છે તે એ ઉપરથી જણાશે. આ દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં બે તેજસ્વી યુગ માલૂમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy