SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ દર્શાવતીપ્રશસ્તિ ’ " ૨૧૮. હવે આપણે એવી એક પ્રશસ્તિ જોઈશું, જેના મૂળ પાડ લુપ્ત થઈ ગયા છે અને કર્તા અજ્ઞાત છે, પણ જેની પૂરી વિગતા જિનહ - કૃત ‘વસ્તુપાલચરિત ’ માંથી૧૧ મળે છે. ગાધરા ઉપર વિજય કરીને તથા ત્યાંના ાંકાર ધૃ બુલને પરાજય કરીને તેજપાળ જ્યારે પાછા ફર્યા ( પૅરા પર) ત્યારે તેણે ડભાઇના કિલ્લા બ ધાવ્યા તથા એ નગરમાં કેટલાંક મન્દિરા બંધાવ્યાં. ‘વસ્તુપાલચરિત' સ્પષ્ટ રીતે કહે છે કે તેજપાળે ત્યાં બધાવેલા જૈન મન્દિરની દીવાલમાં એ શિલા ઉપર કાતરેલી એક પ્રશસ્તિ મૂકવામાં આવી હતી . અને એ નગરમાં તેજપાળે કરાવેલાં બાંધકામેા અને સાહિત્યાના વનનું સમાપન એ ગ્રન્થ વૃત્તિ દુર્ગાવતીપ્રરાસ્તો એવા શબ્દોથી કરે છે, અર્થાત્ આ બધી વિગતા એ પ્રશસ્તિમાંથી લેવામાં આવી છે. ‘વસ્તુપાલચરિત'માં ઉલ્લિખિત આ ‘ દર્ભાવતીપ્રશસ્તિ ' અગાઉ જેની વાત કરી છે તે સામેશ્વરકૃત વૈદ્યનાથપ્રશસ્તિ 'થી સ્પષ્ટ રીતે ભિન્ન છે, કેમકે બન્નેની વિગતા તદ્દન જુદી છે. પ્રશસ્તિના મૂલપા અત્યારે અપ્રાપ્ય છે, પણ એના સાર જ્યાં આપેલા છે એ ‘ વસ્તુપાલચરિત' ના સંબંધ ધરાવતા શ્લેાકેાનું ભાષાન્તર૧૨ અહીં આપવું યોગ્ય થશે. “ અશ્વરાજના પુત્ર ( તેજપાળ ) માંડલિકા સાથે દર્ભાવતીમાં આવ્યો. એ નગરી વિદર્ભનગરી જેવી ઋદ્ધિમાન હતી (૬૨). ત્યાંના લોકાને પલ્લીપતિ રાજાઓના આતંકની શંકાથી વ્યથાકુલ જોઈને, અન્ય પ્રયાજનાનું વિસ્મરણ કરીને મૂલરાજ આદિ રાનએની મૂર્તિએથી સ્ફુરાયમાણુ એવા આકાશચુખી પ્રાકાર તેણે એ નગરીની આસપાસ કરાવ્યા. એમાં વિવિધ ભગિ નિર્માણ કરવામાં આવી હતી, સત્પુરુષા માટે એ શરણરૂપ હતા અને આકાશમાર્ગે પ્રવાસ કરતા દેવાના વિશ્રામ માટે જાણે કે એનું નિર્માણ થયું હતું. સૂર્ય જેમ અંધકાર દૂર કરે તેમ બધી ભીતિ તેણે દૂર કરી દીધી. આવા પુરુષેાના જન્મ ખરેખર મનુષ્યેાના સુખ માટે હાય છે ( ૩-૬૬ ). ત્યાં ફરકતી ધ્વજશ્રેણિ વડે વિરાજમાન શેાભાવાળું, કૈલાસપર્વતના જેવું અને સુવર્ણ કુ ંભા વડે અકિત એવું પા જિનેશ્વરનું ચૈત્ય તેણે બધાવ્યું. ત્રિભુવનના લાકા માટે સુધાના અંજનરૂપ એ મન્દિર તારયુક્ત હતું તથા એમાં મત્રીના પૂર્વજોની મૂર્તિ એની આસપાસ જિનેશ્વરાની ૧૭૦ દેરીઓ હતી. એના બલાનકમાં મંત્રીશ હતી; ૧૧. વચ, પ્રસ્તાવ ૩, શ્લાક ૩૬૨-૭૯ ૧૨. આ ભાગને અંગ્રેજી અનુવાદ ડા. હીરાન'દ શાસ્ત્રીએ ઇન્સ આફ દર્શાવતી આર ડભાઈ’ એ પુસ્તકમાં (પૃ. ૫ થી આગળ) આપ્યા છે. Jain Education International [વિભાગ ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy