SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૮૩ ગિરનાર-લેખમાં નરેન્દ્રપ્રભના લોકો તથા એમની બે “વસ્તુપાલપ્રશસ્તિ” ૨૧૬, વસ્તુપાળના એક ગિરનાર-લેખમાંના (ગુએલ, નં. ૨૧૦ અને પ્રાર્જલેસ, નં. ૪૧-૪) ૧૩ પ્રશંસાત્મક લેકે નરેન્દ્રપ્રભસૂરિની રચના છે. ૧૦૪ ગ્લૅકેની એમની લાંબી ‘વસ્તુપાલપ્રશસ્તિ ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. એક શ્લેષાત્મક શ્લેકમાં પ્રથમ તીર્થકર અને મહાદેવને વંદન કરીને કવિ ચૌલુકય વંશના (લેક ૨-૧૨) અને વાઘેલા વંશના રાજાઓનું (લોક ૧૩–૧૭) વર્ણન કરે છે. પછી વસ્તુપાળના પૂર્વજોની (શ્લેક ૧૮-૨૪) અને એના ગુણેની વાત (શ્લેક ૨૫-૨૮) કવિ કરે છે. લેક ૨૯ મે કહે છે કે વસ્તુપાળ ધર્મ ઉપર ચિત્ત સ્થિર કર્યું હતું, અને લોક ૩૦-૩૧ એની તીર્થયાત્રાઓને ઉલ્લેખ કરે છે. એ પછી જુદે જુદે રથળે વરતુપાળે બાંધેલાં અને સમરાવેલાં મન્દિરો, ધર્મશાળાઓ આદિની એક લાંબી યાદી આવે છે (લેક ૩૨–૯૮). બ્લેક ૯૯-૧૦૪ માં કર્તા નાગેન્દ્રગચ્છના આચાર્યોને તથા પોતાને અને પોતાના ગુરુઓને ઉલ્લેખ કરે છે. ૩૭ પદની નરેન્દ્રપ્રભસૂરિની બીજી “વસ્તુપાલપ્રશસ્તિ' આખીયે વસ્તુપાળતેજપાળ અને ઘણા વરધવલના રૂઢ પદ્ધતિના પ્રશંસાત્મક લેંકેથી રોકાયેલી છે, અને એમાં કોઈ ઐતિહાસિક ઘટનાને ઉલ્લેખ નથી. જયસિંહસૂરિકૃત “વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ' ૨૧૭, ભરૂચમાં મુનિ સુવ્રતસ્વામીનું મન્દિર જે શકુનિકાવિહાર તરીકે પણ આલેખાતું હતું તેની દેવકુલિકાઓ ઉપર તેજપાળે સોનાના ધ્વજદંડ કરાવ્યા એ પ્રસંગને સ્મરણમાં “વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ” નામે ૭૭ શ્લેકનું પ્રશસ્તિકાવ્ય જયસિંહસૂરિએ રચેલું છે. આપણે જોયેલી બીજી પ્રશસ્તિઓની જેમ, આમાં પણ ચૌલુકય (શ્લેક ૪-૩ર) અને વાઘેલા રાજાઓની વંશાવલિ (ક ૩૩-૩૮), વસ્તુપાળની વંશાવલિ (શ્લેક ૩૯પ૧) અને તેનાં સાહિત્યનું વર્ણન (શ્લોક પર-૬૨) છે. શ્લોક ૬૩–૭૧ વર્ણવે છે કે મુનિ સુવતરવામી ચૈત્યના અધિષ્ઠાયક અને કાવ્યના કર્તા જયસિંહસૂરિએ સુવર્ણના ધ્વજદંડ કરાવવા માટે તેજપાળને વિનંતિ કરી હતી અને તેજપાળે પિતાના વડીલ બંધુની સંમતિથી તે કરાવી આપ્યા હતા. બાકીનું કાવ્ય વજદંડ, મન્દિર અને મંત્રી બંધુઓ પરત્વે અલંકારપ્રચુર ભાષામાં આશીર્વચન ઉચ્ચારે છે, અને છેલ્લા શ્લેકમાં કવિ પિતાને નામે લેખ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy