SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ છે નરચન્દ્રકૃત “અનઘરાઘવ” ટિપ્પણ ૨૦૪, મુરારિકૃત “અનર્થરાઇવ” નાટક ઉપરના નરચન્દ્રસૂરિકૃત ટિપ્પણને વિચાર અહીં કરો યોગ્ય થશે, કેમકે એને વિષય નાટકને લગતે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે, નરચન્દ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ પણ એ જ નાટક ઉપર ટીકા રચી હતી, પરંતુ દેવપ્રભની કૃતિએની ચર્ચા અહીં આપણે નહિ કરીએ, કેમકે તેઓ વસ્તુપાળના વૃદ્ધ સમકાલીન હોવા છતાં જે અર્થમાં નરચન્દ્ર વસ્તુપાળના સાહિત્યમંડળના એક પંડિત છે તે અર્થમાં દેવપ્રભને ગણી શકાય એમ નથી. દેવપ્રભસૂરિની સાહિત્યપ્રવૃત્તિને વસ્તુપાળને અથવા તેના કુટુંબની કોઈ વ્યક્તિને આશ્રય મળ્યો હતો એમ કહેવા માટે પુરાવો નથી. દેવપ્રભ તેમજ નરચન્દ્ર બનેની કતિઓ અપ્રસિદ્ધ હાઈ કેવળ હસ્તપ્રતો-રૂપે જ મળે છે. “અનરાઘવ ઉપરની દેવપ્રભની ટીકા એ એક વિસ્તીર્ણ રચના છે અને તેનું ગ્રન્થાપ્ય ૭૧૦૦ શ્લોકનું છે,૨૩ જ્યારે નરચન્દ્રનું તે માત્ર ટિપ્પણ હોઈ એનું પ્રસ્થાઝ ૨૪૫૦૨૪ શ્લોકનું, અર્થાત એમના ગુરુની રચના કરતાં લગભગ ત્રિીજા ભાગનું છે. “અનર્ધરાઘવ ઉપર સમગ્ર દૃષ્ટિએ વિવરણાત્મક ટીકા રચવાનો નરચન્દ્રને આશય જણાતો નથી; એનું કારણ એ છે કે એમના ગુરુએ જ એવી ટીકા રચેલી હતી. નરચન્દ્રનું ટિપ્પણ એ હાલની “ને જેવું હોઈ એનો ઉદ્દેશ માત્ર અર્થને સ્પષ્ટીકરણને છે, અને વિવેચનકતિ ન્યાયકન્ડલી' જેવી શાસ્ત્રીય રચના નહિ હોવાને કારણે, “ન્યાયકન્ડલી” ઉપરના ટિપ્પણમાં છે તેમ (પ્રકરણ ૧૭), એ પરત્વે સ્વતંત્ર અભિપ્રાયો રજૂ કરવાને પણ ખાસ અવકાશ ટિપ્પણકારને મળતો નથી. “અનઈરાઘવ” ઉપર ટિપ્પણુ લખવા વડે વિદ્યાર્થીઓને એક સંક્ષિપ્ત માર્ગદર્શિકા આપવાની નરચન્દ્રની ઈચ્છા જણાય છે, કેમકે મધ્યકાલીન ગુજરાતમાં સાહિત્યના ઘણું વિદ્યાર્થીઓ આ નાટકને અભ્યાસ કરતા હતા. આ ટિપ્પણમાં નરચન્દ્રસૂરિએ કદી એકે આધાર ટાંક નથી કે કોઈ અલંકારની ચર્ચા કરી નથી અને બીજા ગ્રન્થોમાંથી ભાગ્યેજ કોઈ અવતરણ ટાંક્યાં છે. સંસ્કૃત નાટકના કલાવિધાનની તેમણે ચર્ચા કરી નથી તેમજ એને લગતી પરિભાષાની સમજૂતી આપવાને પણ પ્રયાસ કર્યો નથી. નરચન્દ્રસૂરિ જો કે વ્યુત્પન્ન વિદ્વાન હતા, પણ આ ટિપ્પણ તેમણે સાહિત્યના પ્રારંભિક વિદ્યા ૨૨. પ્રકરણ ૫, ટિપ્પણું ૧૪૧ ૨૩. પાર્ભસૂ, પૃ. ૩૦૧ ૨૪. જિરકે, પૃ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy